SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય સં. ૧૯૬૪માં બંધાયું અને પ્રતિષ્ઠા શા. લલુભાઈ શીવચંદના વરદ હસ્તે કરાવ્યાની નોંધ છે. વહીવટ તાસવાળા મોતીચંદ હીરાચંદ હસ્તક હતો. ઉપરાંત ગોખ પરના લેખો દર્શાવ્યા છે જે નીચે મુજબ છે : (૧) સં. ૧૯૫૬ના વૈ શુદ ૬ને શુક્ર તાસવાળા શીવચંદ સોમચંદના પુત્ર મોતીચંદની વતી લલ્લુભાઈએ પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી છે. (૨) સં. ૧૯૫૧ના વૈ શુદ ૬ને ભોમવાર તાસવાળા હીરાચંદ ફુલચંદના પુત્ર મંછુભાઈએ આદેશ્વર ભગવાન પધરાવ્યા છે. (૩) સં. ૧૯૬૪ના ફા શુદી ૧૦ ગુરુ બાઈ મણીકોર તે શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં દેસાઈ પોળમાં આવેલા આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૬૪માં થયાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મોટી દેસાઈ પોળમાં આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. કુલ બાવીસ આરસપ્રતિમા તથા ઓગણસાઈઠ ધાતુપ્રતિમા હતી. જિનાલય સં. ૧૯૦૦ લગભગમાં બંધાયું હોવાનો તથા મૂળનાયક પર સં૧૬૭૭નો લેખ હોવાનો ઉલ્લેખ હતો. વહીવટ દેસાઈ પોળની પેઢી હસ્તક હતો. સ્થિતિ સારી હતી. - જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૦૦ આસપાસ થઈ હોવાની તથા જીર્ણોદ્ધાર સં ૧૯૬૪માં થયો હોવાની નોંધ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં કરવામાં આવી છે. ઉપરાંત ચૌમુખી પ્રતિમા પૈકી અજિતનાથની પ્રતિમા પર સં. ૧૬૭૭, નેમિનાથની પ્રતિમા પર સં. ૧૬૬૪ જેઠ સુદ ૫, શાંતિનાથની પ્રતિમા પર સં. ૧૭૮૫ માગશર સુદ ૫ તથા અન્ય એક પ્રતિમા (અહીં નામ દર્શાવેલ ન હતું) પર સં. ૧૬૬૪ જેઠ સુદ ૫ –નો લેખ હોવાની નોંધ હતી. અને વહીવટ દેસાઈ પોળ પેઢી હસ્તક હતો. આજે પણ જિનાલયનો વહીવટ દેસાઈ પોળ જૈન પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી, શ્રી પ્રદીપભાઈ જરીવાલા તથા શ્રી રાજુભાઈ શાહ હસ્તક છે. સં. ૧૯૬૩માં મકાનની સ્થિતિ અપૂર્ણ - નવું થાય – તેવી વિશેષ નોંધ છે. સં ૧૯૬૪માં જીર્ણોદ્ધાર થયો હોય તેવી સંભાવના વિશેષ છે. ગોખમાં સં. ૧૯૫૧ તથા સંત ૧૯૫૬ના લેખવાળી પ્રતિમાઓ છે. સં. ૨૦૧૦માં તથા સં૨૦૨૩માં જિનાલય સં. ૧૯૦૦ આસપાસ બંધાયાનો નિર્દેશ છે. ચૌમુખજી પ્રતિમાઓ પણ પ્રાચીન છે. તે સંદર્ભમાં આ જિનાલયનો સમય સં૧૯૦૦ આસપાસનો હોવાનો વધુ સંભવ છે. 0 0 C Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy