________________
સુરતનાં જિનાલયો
૯૫
હોવાની તથા મૂળનાયક ૫૨ સં. ૧૯૪૨નો લેખ હોવાની નોંધ હતી. સં ૨૦૧૦માં વહીવટ શેઠ નાનાભાઈ તલકચંદ હસ્તક હતો. સ્થિતિ સારી હતી.
ચંદનબાગ, બેસંટ રોડ પર સં. ૧૯૪૨માં શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરે દુઃખભંજન પાર્શ્વનાથનું ઘરદેરાસર બંધાવ્યાની નોંધ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં કરવામાં આવી છે. વહીવટ કુસુમચંદ નાનાભાઈ તલકચંદ હસ્તક હતો.
સં. ૧૯૫૦માં પ્રતિષ્ઠા થયાની તથા શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરે ઘરદેરાસર બંધાવ્યું હોવાની નોંધ સં૰ ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં કરવામાં આવી છે. ઉપરાંત સં ૨૦૩૨માં શ્રી શાંતિભાઈ નાનાભાઈ પરિવારે જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે.
ટૂંકમા આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૪૨નો છે.
દેસાઈ પોળ, સોની ફળિયા
૩૧. અજિતનાથ (ચૌમુખી) (સં. ૧૯૦૦ આસપાસ)
દેસાઈ પોળ સોની ફળિયામાં આરસનું બનેલું શ્રી અજિતનાથ ચૌમુખજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
ચારેક પગથિયાં ચડતાં સન્મુખ ત્રણ પ્રવેશદ્વાર છે. મધ્યમ કદના સાદા રંગમંડપમાં દીવાલો તારંગા, આબુ, સમેતશિખરના કાચકામયુક્ત પટ તથા અષ્ટાપદ, શત્રુંજય, ગિરનારના આરસમાં કોતરેલ પટથી શોભે છે.
ચોરસ ગભારામાં મધ્યે શિખરયુક્ત, કલાત્મક કોતરણીવાળી આરસની છત્રીમાં શ્રી અજિતનાથ, શ્રી નેમનાથ, શ્રી શાંતિનાથ અને શ્રી સુમતિનાથ – એમ ચૌમુખ પ્રતિમા બિરાજે છે. શ્રી અજિતનાથની પ્રતિમા ૧૭” ઊંચી છે. મૂળનાયક ચૌમુખજી ઉપરાંત વીસ આરસપ્રતિમા તથા ચોસઠ ધાતુપ્રતિમા છે. આરસનાં પગલાંની ત્રણ જોડ છે. તે પૈકી એક પગલાં પર સં ૧૬૯૫નો લેખ છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દેસાઈ પોળ વિસ્તારમાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ સત્તર આરસપ્રતિમા તથા એંશી ધાતુપ્રતિમા હતી. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ અપૂર્ણ-નવું થાય • તેવી વિશેષ નોંધ કરવામાં આવી છે.
-
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં દેસાઈ પોળમાં સુવિધિનાથના જિનાલયની સાથે આ જિનાલયનો પણ ઉલ્લેખ છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org