________________
૯૦
સુરતનાં જિનાલયો વિષે વીશા પોરવાડ જ્ઞાતે ભાગ્યશાળી શાસન ઉદ્યોત શ્રાવક શેઠ કલાભાઈ શ્રીપતશ્રી તસસ્ત શેઠ વધુ આતસ્યસૂત વૃજલાલ તસ્યસ્ત શેઠ અનુપશાજી તસ્યસ્ત શેઠ ગોરધનભાઈ મહાપ્રભાવિક નાથબુદ્ધિનિપુણ ધ્યાદાનાદિ ગણેશોભિત શેઠ અનુપશા તસ ભારય બાઈ બીજાબાઈ તત કશે પ્રગટ શેઠ ગોરધનભાઈ અનુપશાજી તરફથી નવો જીનપ્રાસાદ શ્રી અષ્ટાપદજીનો બંધાવ્યો તેને વિષે ચોવીસે જિનેન્દ્ર સ્થાપિત કર્યા છે, તેની પ્રતિષ્ઠા વિક્રમસંવત્સરે ૧૯૪૩ના વશાક સુદ ૬ શુક્રવાસરે પુનનક્ષત્રે મિથુન રાશિ સ્થિત ચં.. ધૃતિયોગે લગ્નને વિષે શુભ ગ્રહયોગે શુભ મૂહર્તે પૂર્વ દીપ્તીમતુ આદીનાતજીતનાથી સ્થાપિતૌ ત સર્વ ભગવાન જુનજી ભક્તિ કરવાને અર્થે શ્રી વીરનિર્વાણથી ૨૪૧૩ વર્ષે અંગ્રેજી તારીખ ૨૫મી એપ્રિલ સને ૧૮૬૯ શુભ ભવતુ.
ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજના પગલાં અને મૂર્તિ તથા આરસ પર પંચતીર્થોનું ચિત્રકામ હોવાની નોંધ છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૯૪૩માં થઈ હોવાની નોંધ છે. સં. ૧૯૯૬માં જ પ્રગટ થયેલ સૂર્યપુરનો સુવર્ણયુગમાં અષ્ટાપદનું આ જિનાલય શેઠ કલા શ્રીપતે બંધાવ્યાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગોપીપુરા ખાડી પર આ જિનાલયનો ઉલ્લેખ છે: શિખરબંધી જિનાલયમાં કુલ છત્રીસ આરસપ્રતિમા, આઠ ધાતુપ્રતિમા, ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ તથા શેઠ-શેઠાણીની આરસમૂર્તિનો ઉલ્લેખ થયો છે. સં. ૧૯૪ર લગભગમાં શેઠ કલાભાઈ શ્રીપતજીએ જિનાલય બંધાવ્યું હોવાનો તથા વહીવટ શેઠ હીરાચંદ દીપચંદ માસ્તર હસ્તક હોવાનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતના જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલય ખાડી આગળ ગોપીપુરા વિસ્તારમાં દર્શાવેલું છે. જિનાલય અંગે ઉપર્યુક્ત માહિતી ઉપરાંત સં. ૧૯૭૧માં જીર્ણોદ્ધાર થયાની નોંધ છે. વહીવટ શેઠ મોહનલાલ કસ્તુરચંદ હસ્તક હતો.
આજે જિનાલયમાં કુલ ઓગણચાળીસ આરસપ્રતિમા છે. વહીવટ શ્રી અષ્ટાપદ દેરાસર જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ચંદ્રવદન શાંતિલાલ શાહ, શ્રી સૂરચંદ ઠાકોરદાસ ઝવેરી તથા શ્રી નિપુણભાઈ પ્રતાપચંદ ઝવેરી હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં૧૯૪૩ છે.
ખપાટીયા ચકલા, દેસાઈ પોળ જૈન પેઢી પાસે, ગોપીપુરા
૨૮. મહાવીર સ્વામી (સં. ૧૭૯૩ પૂર્વે) ગોપીપુરા, દેસાઈ પોળ જૈન પેઢીની ગલીમાં અષ્ટાપદના જિનાલય પાસે ખૂણામાં, ઉપરના માળે આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
પૂર્વે જિનાલય ધાબાબંધી હતું. બે વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરી સામરણ બનાવવામાં આવ્યું છે. ચૈત્ર સુદ ૧૩ અને શ્રાવણ સુદ ૧૦ – એમ બે વર્ષગાંઠ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org