SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો વિસ્તારના સુપ્રસિદ્ધ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા વખતની છે. સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ – આ ચારેય પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે. તે નીચે મુજબ છે : સંવત ૧૯૦૩ શાકે ૧૭૬૮ પ્રવર્તમાને માઘ માસે કૃષ્ણ પક્ષે પ વાસ્તવ્ય શા૰ નિહાલચંદ તત્પુત્ર ખુશાલચંદ સાગરગચ્છ ઉપર્યુક્ત પ્રતિમાઓ અમદાવાદના પ્રસિદ્ધ હઠીસીંહના જિનાલયની પ્રતિષ્ઠા સમયની છે. અન્ય કોઈ પ્રતિમાલેખ નથી. ગભારામાં કુલ ચોવીસ આરસપ્રતિમા તથા અઢાર ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ ૮૯ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોપીપુરામાં આવેલા આ જિનાલયને શિખરબંધી દર્શાવ્યું છે. કુલ ત્રીસ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા ઉપરાંત આરસનાં પગલાંની એક જોડ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલય બંધાવનાર તરીકે શ્રી કલાભાઈ શ્રીપતજીનો ઉલ્લેખ હતો. અહમદાવાદ સં. ૧૯૬૮ તીર્થગાઇડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં ખલાસી ચકલામાં મહાવીરસ્વામીના જિનાલયની સાથે અષ્ટાપદના આ જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં ગોપીપુરા ખાડી વિસ્તારમાં અષ્ટાપદના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. બંધાવનાર તરીકે કલાભાઈ શ્રીપતજીનો ઉલ્લેખ છે. મૂળનાયક આદેશ્વર હોવાની નોંધ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં ગોપીપુરા ખાડી પર દર્શાવેલ આ જિનાલય વિશે કેટલીક નોંધ કરવામાં આવી છે જે નીચે મુજબ છે : ‘સં. ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ સં. ૧૯૪૩ના વૈશાક શુદ ૬ના દીવસે શેઠ ગોરધનદાસ અનુપશાજીએ કરાવી, જેમનાં સ્ત્રી(શેઠાણી)નું નામ વીજાબાઈ. શ્રી અષ્ટાપદના ખ્યાલ આપવાના આશયથી આ જિનાલય બંધાવેલ છે તેથી તેનાં આઠ પગથિયાં ૨,૪,૮,૧૦ કુલ ૨૪ જિનબિંબો પધરાવ્યા છે. રંગમંડપમાં બે ગોખલા છે જેના શિલાલેખ નીચે મુજબ બેસાડ્યા છે. (૧) ગબુભાઈ રૂપચંદે સંવત ૧૯૭૯ વૈશાખ વદ ૨ વાર બધે શ્રી આદીશ્વર ભગવાન (૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૯૭૯ વૈશાક વદ ૨ વાર બુધે શ્રી અજિતનાથ ભગવાન બેસાડ્યા છે. દેરાસરનો શિલાલેખ નીચે મુજબ છે : Jain Education International ૐ નમશ્ચતુર્વિશતિ શ્રી જિનેન્દ્રભ્યઃ શ્રી જમ્બુદ્વિપ, દક્ષિણ ભરતક્ષેત્રે ગુર્જરદેશે સુરતબંદરે ગોપીપુરા મધ્યે શ્રી મહાવીરસ્વામિની પોળને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy