________________
સુરતનાં જિનાલયો
સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં ગોપીપુરામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ચોથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસબિંબ પાષાણમેં પૂજંતાં પાતક મેટયા રે. શ્રી જિન૯ ચોવીસવટા પંચતીરથી એકલમલ પટ જાણો રે;
એકસો ઈકોતેર ધાતુમેં સર્વ સંધ્યાયે પ્રમાણો રે. શ્રી જિન ૧૦.
સં. ૧૮૨૮માં રચાયેલ ઉત્તમવિજય નિર્વાણરાસમાં પણ સુરતનાં અન્ય જિનાલયોના ઉલ્લેખ સાથે આ જિનાલયનો ઉલ્લેખ મળે છે :
સુરતમંડણ ધર્મ સંભવ શાંતિ જિના,
રૂષભ વીર તિમ અજીત નમ્યા થઈ એકમના. સં. ૧૮૮૧માં સુરતના સંભવનાથના જિનાલયમાં રાજેન્દ્રસાગરજીએ પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૯, પૃ. ૧૨૯)માં મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોપીપુરામાં સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ છે. કુલ ઓગણપચાસ આરસપ્રતિમા તથા એકસો તેવીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં મગનલાલ વકીલના ખાંચામાં આ જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં વકીલનો ખાંચો, ગોપીપુરા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. તે સમયે વર્ષગાંઠ માહ સુદ પાંચમ હતી અને અંચલગચ્છના દેરાસર તરીકે જિનાલય પ્રચલિત હતું. વહીવટ આંચળીઆ ગચ્છ – ઝવેરી નગીનચંદ કપુરચંદનો હતો.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. કુલ ચુમ્માળીસ આરસપ્રતિમા, એકસો સાત ધાતુપ્રતિમા તથા ચોવીસ જિનના ત્રણ રજત પટ હતા. વહીવટ શેઠ બાબુભાઈ ખીમચંદ હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. ઉપરાંત સં. ૧૯૨૦ લગભગમાં અંચલગચ્છ દ્વારા જિનાલય બંધાયાનો ઉલ્લેખ છે. અહીં જિનાલયના જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠાનો શિલાલેખ છે જે નીચે મુજબ છે :
શ્રી સંભવનાથ જિનાલય જીર્ણોદ્ધાર
સં. ૨૦૧૩ થી સં. ૨૦૨૨ આ જિનમંદિરનો જીર્ણોદ્ધાર શ્રી સંઘના સહકારપૂર્વક શ૦ ચીમનલાલ છગનલાલ કરાણી, શાકુસુમચંદ જવેરચંદ ઝવેરી. શાહ નગીનદાસ ઘેલાભાઈ કરાણી, શાહ જીવણચંદ ડાહ્યાભાઈ ઝવેરી, શા. બાબુભાઈ ખીમચંદના વહીવટ દરમ્યાન થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org