________________
સુરતનાં જિનાલયો
૮૫
સુરત બિદરે સ્થાપિત પં. નવલવિજયગણિ શ્રી શ્રી શ્રી રસ્તુ કલ્યાણમસ્તુ . ઉપનામ સરૂપચંદજી)
જમણી બાજુ ગોખમાં નીચે મુજબનું લખાણ છે :
સંવત ૧૯૩૯ના માઘ સુદ ૫ વાર ચંદ્ર શ્રી અંચલગચ્છ જ્ઞાતિ દશા શ્રીમાલ સાડ હીરાચંદ મોતીચંદ તેન શ્રી ધર્મનાથ બિંબ સ્થાપિત તો ભાર્યા જેકોર શ્રી શાંતિનાથ બિંબ દૌ સ્થાપિત ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ગુણરત્નસૂરિ રાજયે શ્રી સુરત બિંદરે પ્રતિષ્ઠિત પં. નવલવિજય ગ. | શ્રી રજુ કલ્યાણમસ્તુ !
ત્રણ ગર્ભદ્વાર છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપરની દીવાલે લક્ષ્મીદેવી, આજુબાજુ હાથી તથા ધર્મપઠન કરતા બે શિશુની કૃતિ છે. આજુબાજુના ગર્ભદ્વાર પર સરસ્વતીદેવી અને તેમની આજુબાજુ નવકારવાળી ગણતાં શિશુની કૃતિ છે. ૧૯” ઊંચી શ્રી સંભવનાથની મનોહર પ્રતિમા પર કોઈ લેખ નથી. કુલ અઠાવીસ આરસપ્રતિમા તથા એકસો આઠ ધાતુપ્રતિમા છે. ઉપરાંત અર્ધપદ્માસન મુદ્રામાં એક ધાતુમૂર્તિ તથા માળા ગણતી ધાતુમૂર્તિ છે. ડાબે ગભારે શ્રી નેમિનાથ તથા જમણે ગભારે કુંથુનાથ છે. કેટલીક પ્રતિમા પર સં. ૧૮૧૫નો લેખ છે.
મૂળનાયકની ડાબી બાજુ અન્ય એક રૂમમાં ઘુમ્મટબંધ આરસની છત્રીમાં પ. પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિ મ. સા.ની ચરણપાદુકા પ્રતિષ્ઠિત કરેલ છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૧૨ના વૈશાખ સુદ પાંચમે પપૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરિ મ. સા.ના સદુપદેશથી કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ. પૂ. મોહનલાલજીના પટ્ટાલંકાર આ. શ્રી નિપુણપ્રભસૂરિજીની નિશ્રામાં આ મ. શ્રીના શુભ હસ્તે શ્રી જિનભદ્રવિજયજીના પુત્ર શ્રી મોતીચંદ જીવણચંદ તરફથી મહોત્સવપૂર્વક સં. ૨૦૩રના મહા વદ ૬ને શુક્રવારે શ્રી જિનભદ્રવિજયજી મ.ની મૂર્તિ અને પ્રતિષ્ઠિત કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ -સં. ૧૯૮૯માં ઉપાડ વિનયવિજયજીકૃત સુરત ચૈત્યપરિપાટીમાં શ્રી સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : સેના એ સેના એ નંદન જિનવરૂ એ,
સંભવ સંભવ સુખદાતાર કે; સાર કરંઇ સેવકતણી એ,
હયવર હયવર લંછણ પાય તો, સેના એ નંદન જિનવરૂ એ.
સેના એ નંદનતણી સેના મોહના મદ અપહરઈ, પ્રભુતeઈ ચરણઈ રહ્યા સરણઈ અમર અલિ કલરવ કરશું; * પ્રભુતણી વાણી સુધાદાણી રસ સમાણી જાણી ઈ. ભવ તાપ ભાજી દૂરિ જાઈ જિન દવાનલ પાણીઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org