SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ સુરતનાં જિનાલયો સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગોપીપુરા વકીલનો ખાંચો વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. જિનાલય શિખરબંધી હતું. કુલ સતર આરસપ્રતિમાં, છ ધાતુપ્રતિમા તથા શેઠ-શેઠાણીની આરસમૂર્તિ હતી. શેઠ ભાઈદાસ દુર્લભદાસે સં. ૧૮૭૫ લગભગમાં જિનાલય બંધાવ્યું હોવાની તથા મૂળનાયક પર સં૧૯૦૩નો લેખ હોવાનો ઉલ્લેખ હતો. સં ૨૦૧૦માં વહીવટ મોતીચંદ વસ્તાચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ જીર્ણ હતી. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૦૨ થી સં. ૨૦૧૦ દરમ્યાન થયો હોવાની નોંધ છે. વહીવટ શેઠ પ્રવીણચંદ બાબુભાઈ માનચંદ સરકાર હસ્તક હતો. આજે જિનાલયમાં કુલ સતર આરસપ્રતિમા તથા ચોત્રીસ ધાતુપ્રતિમા છે. ચોવીસ તીર્થકરનો એક રજતપટ છે. વહીવટ શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ સરકાર, શ્રી દીપચંદ સુરચંદ ઝવેરી તથા શ્રી મહેન્દ્રભાઈ ઉત્તમચંદ ઝવેરી હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં૧૯૦૫નો છે. વકીલનો ખાંચો, ગોપીપુરા ૨૬. સંભવનાથ (સં. ૧૬૮૯ પૂર્વે) ગોપીપુરામાં હાથીવાળા દેરાસરની ગલીથી આગળ જતાં વકીલનો ખાંચો આવેલો છે ભણશાળીનો ખાંચો તરીકે પણ ઓળખાય છે. અહીં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી સંભવનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. પ્રવેશદ્વાર બે છે. મોટા રંગમંડપની દીવાલો પર નમસ્કાર મહામંત્ર, સર્વતોભદ્ર, અઢીદ્વિપવર્તિ ૧૭૦ જિનપટ, પાવાપુરી, ચૌદ રાજલોક, મહાવીરના કાનમાં ખીલા ઠોકવાનો પ્રસંગ, શત્રુંજય, ગિરનાર, ચંપાપુરી, સમવસરણ તથા વિવિધ પ્રાણીઓના ચિત્રકામયુક્ત પટ, પ્રસંગો તથા પ્રાણીઓ છે. પ્રવેશદ્વાર પાસે એક ગોખમાં કાઉસગ્ગ મુદ્રામાં એક જીર્ણ પ્રતિમા છે જેની આજુબાજુ ચામર વીંઝતી બે દેવીમૂર્તિ છે. આ જીર્ણ પ્રતિમા પર – સં. ૧૬૩૧ વર્ષે માઘ વદિ ૫' – તે મુજબનું લખાણ વાંચી શકાય છે. બાકીનો લેખ સુવાચ્ય નથી. ત્રિમુખી દેવની આરસમૂર્તિ તથા યક્ષિણીની આરસમૂર્તિના ગોખ છે. તથા એક દેવીની આરસમૂર્તિ છે જેના પર સં. ૨૦૨૨ વૈશાખ સુદ પાંચમને સોમવારે તપાગચ્છીય આ શ્રી વિજયયશોભદ્ર સૂરિ મ. સા. દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ છે. રંગમંડપમાં બે ગોખમાં ત્રણ-ત્રણ આરસપ્રતિમા છે. તે પૈકી ડાબી બાજુ ગોખમાં નીચે મુજબનું લખાણ છે : સંવત ૧૯૩૯ના માઘ સુદ ૫ વાર ચંદ્ર શ્રી અંચલગચ્છ જ્ઞાતિ ઉસવાલ સા ખીમચંદ કપૂરચંદ શ્રી ચંદ્રપ્રભુ જિન તથા જીવણચંદ સા. કેસરિચંદ શ્રી સુપાર્શ્વનાથ બિંબ તથા તસ્ય ભાર્યા વહૂ નંદકોર શ્રી વાસુપૂજ્ય જિન સ્થાપિત ભટ્ટારક શ્રી શ્રી વિજયગુણરત્નસૂરીશ્વર રાજયે શ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy