SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો શ્રી સં. ૨૦૧૩ના માટે શુ ૧૧ (મૌન એકાદશી)ના શુભ દિવસે પ પૂ શાસન પ્રભાવક તપાગચ્છીય આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજયમોહન સૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ૫ પૂ. આ દેવ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારજા તથા તેઓશ્રીના પટ્ટધર પ પૂ આ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભવ્ય મહોત્સવ સાથે મૂલનાયક શ્રી સંભવનાથ વગેરે જિનબિંબોના આ જિનમંદિરમાં પ્રવેશ કરાવવામાં આવેલ છે. વીર સં ૨૪૯૨ સં. ૨૦૨૨ થૈ સુ૰ ૫ સોમવારના શુભ મૂહુર્તે તપાગચ્છીય બાલબ્રહ્મચારિ શાસન સમ્રાટ્ કંદબગિરિ આદિ અનેક તીર્થોદ્વારક પ પૂ આ ભ॰ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિ વિજ્ઞાનસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પ પૂ આ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ પૂ આ શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી શુભંકરવિજયજી ગણીવર વગેરે મુનિમંડલની નિશ્રામાં મૂળનાયક શ્રી સંભવનાથ પ્રભુ વગેરે જિનબિંબોને ભવ્ય મહોત્સવ સાથે આ જિનમંદિરમાં પ્રતિષ્ઠિત ગાદીનશીન કરવામાં આવ્યા છે. ૮૭ એટલે કે જિનાલયનો જીર્ણોદ્વાર સં. ૨૦૧૩ થી સં- ૨૦૨૨ના સમયગાળા દરમ્યાન થયો છે. ત્યારબાદ તુરત જ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયની નોંધ મળે છે. તેમાં પ્રતિષ્ઠા લેખ સંવત ૧૬૫૩નો નિર્દેશ થયેલો છે જે અધૂરો હોવાની નોંધ પણ કરવામાં આવી છે. સંભવ છે કે તે અધૂરો લેખ જીર્ણોદ્ધાર થયા પછી સચવાયો ન હોય. આજે આ જિનાલયમાં કુલ ચોત્રીસ આરસપ્રતિમા છે. વહીવટ શ્રી જવાહરભાઈ ચીમનલાલ કરાણી, શ્રી સુભાષચંદ નાનાભાઈ લાકડાવાળા તથા શ્રી ફતેહચંદ ચીમનલાલ કરાણી હસ્તક છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં ૧૬૮૯ પૂર્વેનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ખપાટીયા ચકલા, દેસાઈ પોળ જૈન પેઢી પાસે, ગોપીપુરા ૨૭. આદેશ્વર - અષ્ટાપદ (સં. ૧૯૪૩) ગોપીપુરા, ખપાટીયા ચકલા, દેસાઈ પોળ જૈન પેઢી પાસે શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. આ જિનાલય અષ્ટાપદજીના જિનાલય તરીકે પ્રચલિત છે. ખૂણામાં શ્રી મહાવીરસ્વામીનું જિનાલય છે. વીશા પોરવાડ જ્ઞાતિના શ્રી કલાભાઈ શ્રીપતજીના પુત્ર શેઠ વકતાશાના પુત્ર ત્રીજલાલના પુત્ર શેઠ અનુપશાજી તથા તેમના ધર્મપત્ની શેઠાણી વીજાબાઈના પુત્ર શેઠ ગોરધનભાઈએ સુરત શહેરના ગોપીપુરા મહાવીરસ્વામીની પોળમાં સં. ૧૯૪૩ વૈશાખ સુદ છઠને શુક્રવારે જિનાલય બંધાવી પૂર્વ દિશામાં આદેશ્વર અને અજિતનાથ પ્રમુખ ચોવીસ તીર્થંકરો બિરાજમાન કર્યા છે. તે મુજબના અર્થવાળું લખાણ જિનાલયમાં છે. પ્રવેશદ્વારે કોતરણીવાળી કમાનો પર લક્ષ્મીદેવી, હાથી, દેવીઓ તથા મંગલમૂર્તિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy