________________
ખંભાતનાં જિનાલયો
સંઘવીની પોળ સોમ ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૭૩ પહેલાં)
સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી આરસનું જિનાલય આવેલું છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત બાવતી તીર્થમાલામાં સંઘવીની પોળમાં આવેલા શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
સેગઠાપાડા માંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, પૂજી પાતિગ ધોઈ, હો || ૧૬ સોમ ઢંતામણિ અંતા ટાલઈ, તે બંબ તિહાં પાતિગ ગાઈ,
ભવિલોકનઈ પાલઈ, હો // ૧૭ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
ગયા પાટિક સેગઠાનઈ ચિંતામણિ ચૌદ સાતસઈ
વિમલ ચઉદ ભુંઈરઈ છ(ઈ) બોરપીપલિ ઉલ્હસઈ સં. ૧૯૭૩માં આ જિનાલયના મૂળનાયકનો ઉલ્લેખ “સોમ ચિંતામણિ' તરીકે થયેલો છે જ્યારે સં. ૧૭૦૧માં “ચિંતામણિ' તરીકે થયેલો છે.
સં. ૧૯૦૦માં સંઘવીની પોળમાં વિદ્યમાન બે જિનાલયો પૈકી સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ આવે છે જે નીચે મુજબ છે :
અથ સંઘવીની પોલમાં દેહરા -૨ ૫૮.શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરતિ ૫૯. શ્રી વિમલનાથનું દેહરું.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં ક્રમાંક ૧૪માં નીચે મુજબ થયેલો છે :
બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવપારસનાથજીનું ૧૩. વમલનાથજીનું (ભંઈરામાં ગોડી પારસનાથ) ૧૪. સોમ ચિંતામણજીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org