SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીની પોળમાં આવેલું આ જિનાલય ધાબાબંધી દર્શાવેલું છે. તે સમયે પાષાણની સોળ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સંઘવીની પોળમાં આવેલા સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને પદ્માવતીમાતાનું સ્થાન તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. આ જિનાલય વિશે પૃ ૪૪ ઉ૫૨ નીચે મુજબની નોંધ મળે છે : 44 .શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું જીર્ણોદ્ધાર થયેલું દેરું આવે છે. એમાં પદ્માવતી દેવીની ચમત્કારીક મૂર્તિનું સ્થાન હોવાથી એ ‘પદ્માવતીનાં દેરા’ તરીકે પ્રસિદ્ધ છે.” ત્યારે આ જિનાલયનો વહીવટ શા૰ ઠાકરશી મોતીચંદ હસ્તક હતો, જેઓ જિનાલયની સામે જ રહેતા હતા. ૮૩ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં સંઘવીની પોળના આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ છોટાલાલ કેશવલાલ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ શ્રી ચંદુલાલ કેશવલાલ (મુંબઇ) શ્રી અશોકભાઈ શાહ, શ્રી ૨મેશભાઈ શાંતિલાલ ગાંધી, શ્રી ભુપેન્દ્રભાઈ બાબુભાઈ શાહ હસ્તક છે જેઓ ત્રણેય સંઘવીની પોળમાં જ રહે છે. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૪ આસપાસ થયેલો છે. જૈન તીર્થધામ ખંભાતગ્રંથમાં પૃ. ૮૧ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે : ‘શ્રી અમૃતલાલ ફૂલચંદ મોતીચંદના મકાન આગળ કૂવો-ગટર ખોદાવતી વખતે જે (વિ સં. ૨૦૦૦ના અરસામાં) ઘણી પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી તે આ જિનાલયમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે'. જિનાલયના પ્રવેશદ્વારની ભીંતો ઉપર તાપસ તથા પાવાપુરી, રાજગૃહી જેવાં તીર્થોનું ચિત્રકામ થયેલું છે. રંગમંડપમાં ફર્શ આરસની છે અને દીવાલો પર ઇટાલિયન ટાઇલ્સ જડેલા છે. મગરમુખી કમાનોવાળું, નવચોકીનું આ જિનાલય સુંદર ભાસે છે. રંગમંડપમાં આરસના ત્રણ ગઢ પર મહાવીર સ્વામી (ચૌમુખજી)ની આરસની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા પરનો લેખ તૂટક તૂટક વંચાય છે. જેમાં ‘માતા શ્રી જયતલ દેવી-રાણક શ્રીમદ્ જનદેવસ્ય રાણી શ્રી કપૂર્રાદેવી' મુજબનું લખાણ અસ્પષ્ટ વંચાય છે. રંગમંડપમાં દીવાલો પર શ્રીપાલ રાજા-મયણા સુંદરીનો પ્રસંગ, ચૌદ સ્વપ્નો, શત્રુંજય તીર્થનું ચિત્રકામ થયેલું છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં શેઠ-શેઠાણીની આરસની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર ‘સં. ૧૪૩૧ સામવીર ભારયા સિગારદેવી'– મુજબનું અસ્પષ્ટ લખાણ વંચાય છે. ડાબી બાજુ ગોખમાં શ્રી પદ્માવતીદેવીની હાજરાહજૂર મૂર્તિ છે. મૂર્તિ પર કોઈ લેખ નથી. પરંતુ ખૂબ જ પ્રાચીન હોવાની મનાય છે. ૨૫ ઇંચ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ રાતા રંગની છે. સ્થાનિક માહિતી પ્રમાણે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ આશરે ૧૪૦૦ વર્ષ જૂની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy