________________
ખંભાતનાં જિનાલયો
૮૧
ગયા પાટિક સેગઠાનાં ચિંતામણિ ચૌદ સાતસઈ
વિમલ ચઉદ ભુંઈરઈ છ(ઇ) બોરપીપલિ ઉલ્હસઈ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં સંઘવીની પોળમાં ઉપર્યુક્ત બે જિનાલયોનો જ ઉલ્લેખ આવે છે જે નીચે મુજબ છે :
અથ સંઘવીની પોલમાં દહેરાં-૨ ૫૮. શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂરતિ પ૯. શ્રી વિમલનાથનું દેહરુ
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતના વિસ્તારો પૈકી સંઘવીની પોળ નામના વિસ્તારનો ઉલ્લેખ થયો નથી. આજે સંઘવીની પોળમાં વિદ્યમાન વિમલનાથ અને સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ તે સમયે બોરપીપળા વિસ્તારમાં ક્રમાંક ૧૩ તથા ક્રમાંક ૧૪માં થયો છે. તે સમયે વિમલનાથના જિનાલયના ભોંયરામાં ગોડી પાર્શ્વનાથ બિરાજમાન હોવાનો ઉલ્લેખ છે. બોરપીપળા વિસ્તારના નવપલ્લવ પાર્શ્વનાથના ભોંયરામાં ગોડી પાર્શ્વનાથજી બિરાજમાન છે. બોરપીપળા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે:
બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૩. વિમળનાથજીનું (ભુંઈરામાં ગોડી પારસનાથજી) ૧૪. સોમચીંતામણજીનું ૧૫. સંભવનાથજીનું ૧૬. મુનીસુવ્રતસ્વામીનું ૧૭. વજેચિંતામણ પારસનાથજીનું ૧૮. સંભવનાથજીનું (મુંદરામાં ત્રણ મોટા બિંબ છે) તે શાંતિનાથ આદિના છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીની પોળમાં (૧) નવપલ્લવ પાર્શ્વનાથજીનું જિનાલય (૨) સોમચિંતામણિ પાર્શ્વનાથ (૩) વિમલનાથના એમ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયો છે. આજે બોરપીપળા વિસ્તારમાં વિદ્યમાન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ તે સમયે એટલે કે સં૧૯૬૩માં સંઘવીની પોળમાં કરવામાં આવ્યો હતો.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સંઘવીની પોળમાં (૧) સોમચિંતામણિ પાર્શ્વનાથ (૨) વિમલનાથ એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
આજે પણ સંઘવીની પોળમાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન છે.
ખંભા. ૬ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org