________________
૮૦.
ખંભાતનાં જિનાલયો
પ્રતિમાજીઓ બિરાજમાન છે. ડાબા ગભારે ચંદ્રપ્રભસ્વામી અને જમણા ગભારે પદ્મપ્રભ સ્વામીની અષ્ટપ્રતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાજીઓ બિરાજે છે. જે પૈકી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા પરના લેખમાં “સંવત ઇલાહી ૪૬ સંવત ૧૬૯૮ (પ૬) સોમ શૂન્ય પ્રતિષ્ઠિત અસ્તુતેન તપાગચ્છ...ના અર્થવાળું લખાણ વંચાય છે તથા પદ્મપ્રભુસ્વામીની પ્રતિમા પરના લેખમાં– “સંવત ઈલાહી ૪૮ સંવત ૧૬૫૮ વૈશાખ... પાંચમના' - અર્થવાળું લખાણ છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે.
સંઘવીની પોળ
ખંભાતમાં આજે સંઘવીની પોળ તરીકે પ્રચલિત વિસ્તાર અગાઉ સેગઠા પાડો, સંઘવી પાટિક કે સેગઠા પાટિક તરીકે પ્રચલિત હતો.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સંઘવીની પોળનો વિસ્તાર સેગઠા પાડો તરીકે પ્રચલિત હતો. તે સમયે આ વિસ્તારમાં (૧) સોમચિંતામણિ પાર્શ્વનાથ અને (૨) વિમલનાથ એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં. તે સમયે આજે વાઘમાસીની ખડકી તરીકે પ્રચલિત વિસ્તાર (૧) પટૂઆ પોલ (૨) ઊંચીશેરી–એમ બે વિભાગોમાં વહેંચાયેલો હતો. તેવી જ રીતે આજનો બોરપીપળા તરીકે પ્રચલિત વિસ્તાર પૈકીનો અમુક વિસ્તાર સાલવી પોલ તરીકે તથા અમુક વિસ્તાર બીજી સાલવી પોલ તરીકે પ્રસિદ્ધ હતો. સં. ૧૬૭૩માં સેગઠા પાડા વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ આજની વાઘમાસીની ખડકીના વિસ્તાર પછી અને બોરપીપળા વિસ્તાર પહેલાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે.
સેગડાપાડા માંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, પૂજી પાતિગ ધોઈ, હો // ૧૬ સોમય્યતામણિ મંતા ટાલઈ, તેર બંબ તિહાં પાતિગ ગાલઇ, ભવિ લોકનઈ પાલઈ, હો ૧૭ વિમલનાથનિ દેહરિ બીજઈ, દસ પ્રતિમાની પૂજા કીજઈ,
માનવ ભવ ફલ લીજે, હો / ૧૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં સંઘવીની પોળ તથા સેગઠાપાડો એ બંને નામનો એક જ વિસ્તાર માટે ઉલ્લેખ થયેલો છે. એટલે કે એ સમયે એક સાથે સેગઠા પાડો અને સંઘવીની પોળ એમ બન્ને નામ પ્રચલિત હતા. વળી, ચિંતામણિ પાર્શ્વનાથ અને વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ પણ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
આમરાઈ ગિરિનારિ નેમિ જિન તેણિ જીરાઉલઈ થાપીયા એ ભુંઈરઈ આદિ જિન અડસઠ બિંબ ધિન વંદીય સંઘવીય પાટકિ ગયાએ ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org