SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૭૭ પાર્શ્વનાથની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત આરસની મનોહર પ્રતિમાના દર્શન થાય છે. રંગમંડપના ઘુમ્મટમાં વાજિંત્ર વગાડતાં શિલ્પોનું ચિત્રાંકન થયેલું છે. ગભારાની દીવાલો પર પણ સુંદર ચિત્રકામ છે. જોકે, છતમાં લાકડાના પીઢિયા છે તે જીર્ણ થઈ ગયા છે અને જીર્ણોદ્ધારની જરૂર છે. જિનાલયમાં દીવાલો પર શત્રુંજય, ગીરનાર, આબુ, તારંગાજી જેવાં અનેક તીર્થોના ચૌદ પટ ઉપરાંત ઘણા પ્રસંગોનું ચિત્રકામ થયેલું છે. જેમાં શ્રીપાળ– મયણાસુંદરીનો પ્રસંગ, શ્રેણિક રાજા ગૌતમ સ્વામીને શ્રીપાળ રાજાનું ચારિત્ર પૂછે છે, ધવલશેઠ, શ્રીપાલ રાજા, કમઠનો ઉપસર્ગ, બાહુબલી ઉપરાંત મહાવીર સ્વામીનું ત્રિશલા માતાના ગર્ભમાં આવવું, દેવાનંદની કુક્ષીમાંથી ત્રિશલા માતાની કુક્ષીમાં ગર્ભપરિવર્તન વગેરેનું ચિત્રાંકન છે. મૂળનાયક શ્રી સુખસાગર પાર્શ્વનાથની પ્રતિમા પરનો લેખ ઘસાઈ ગયેલો છે, તેમ છતાં અસ્પષ્ટ અને ત્રુટક લખાણ વંચાય છે : પાદશાહી શ્રી અકબર પ્રવર્તિત અલઈ સં. ૪૧ વર્ષે ફાગુન .. સા સહીત ભાર્યા સહીજલદે સુત સા કહાગુઆ નાસ્ના ....સુખસાગર પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ચા.. સૂરિ પ્રવર્તન શ્રી શત્રુંજય તીર્થાદિકર મોચન....... શ્રી હીરવિજયસૂરિ.. શ્રી વિજયસેન સૂરિભિઃ” મુજબનું લખાણ વંચાય છે. ગભારામાં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે. રંગમંડપમાં પાષાણની કુલ બે પ્રતિમાજીઓ સામસામેના ગોખમાં બિરાજમાન છે. મૂળનાયકના જમણે ગભારે શ્રી આદેશ્વર અને ડાબે ગભારે શ્રી સુમતિનાથજી બિરાજમાન છે. શ્રી આદેશ્વરજીની પ્રતિમા પર સં૧૬૬૬નો લેખ છે. અને શ્રી સુમતિનાથની પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ છે. ટૂંકમાં સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૬૭૩માં ચોકસીની પોળમાં, સં૧૭૦૧માં લાંબી ઓટિ સુગસાગર પોલ નામે પ્રચલિત વિસ્તારમાં, સં૧૯૦૦માં મહાલક્ષ્મીની પોળમાં વિદ્યમાન હતું. ત્યાર બાદ સં. ૧૯૪૭માં તથા સં. ૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી અને ફરી સં. ૧૯૮૪માં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મહાલક્ષ્મીની પોળના વિસ્તારને બદલે ખારવાડા વિસ્તારમાં મળે છે. સં. ૧૯૦૦ થી સં. ૧૯૮૪ દરમ્યાન આ જિનાલય વિશે કોઈ માહિતી મળતી નથી એટલે આ જિનાલય સં. ૧૯૮૪ પહેલાનું માની શકાય. જો કે મૂળનાયકની પ્રતિમાનો લેખ પ્રતિમાની પ્રાચીનતાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ઉપરાંત આ જિનાલયનો ઉલ્લેખ સં૧૬૭૩, સં. ૧૭૦૧ અને સં૧૯૦૦માં સ્પષ્ટ રીતે મળે છે. તેથી આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાંનું હોવાનો પણ સંભવ છે પણ તે માટે વધુ પુરાવાઓ અને તે માટે વધુ સંશોધનની જરૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy