________________
ખંભાતનાં જિનાલયો
૭૫
આ જિનાલયનો ઉલ્લેખ ૧૬મા સૈકાની કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં થયેલો છે. ઉપરાંત સં૧૬૭૩માં, સં૧૭૦૧માં, સં૧૮૧૭માં, સં૧૯૦૦માં, સં. ૧૯૪૭માં, સં૧૯૬૩માં, સં. ૧૯૮૪માં, સં ૨૦૧૦માં સાતત્યપૂર્વક સીમંધર સ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ખારવાડા વિસ્તારમાં સ્પષ્ટ જોવા મળે છે. તેથી આ જિનાલય ૧૬મા સૈકાનું હોવાનું ચોક્કસપણે પ્રસ્થાપિત થાય છે.
ખારવાડો સુખસાગર પાર્શ્વનાથ (સં. ૧૯૭૩ પહેલાં અથવા સં. ૧૯૮૪ પહેલાં)
ખારવાડામાં શ્રી સીમંધરસ્વામીની જિનાલયની જમણી બાજુની ખડકીમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય છે. આ ખડકીમાંથી નાગરવાડે જવાનો રસ્તો પડે છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં સુખસાગરના જિનાલયનો ઉલ્લેખ મળે છે.
આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ પ્યાર | આહે શ્રી ઢંતામણ્ય દેહરઈ,સોલ બંબ સું સાર | ૨૬ આહે સુષસાગરના ભુવનમાં, મનનિ રંગઈ એ જઈઈ |
આહે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિજિન નિરમલ થઈઈ || ૨૭ સં. ૧૭૦૧માં મતિ સાગર રચિત ખંભાછતિ તીર્થમાલામાં ‘લાંબી ઓટિ સુગ(ખ)સાગર પોલ' વિસ્તારમાં સુખસાગરનું જિનાલય વિદ્યમાન હતું. આ વિસ્તારનાં જિનાલયોનું વર્ણન નવ-દસ નંબરની કડીમાં થયેલું તે અગાઉ છ-સાત અને આઠ નંબરની કડીમાં ખારવાડાનાં જિનાલયોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અગિયાર નબંરની કડીમાં મહાલક્ષ્મીની પોળમાં આવેલાં જિનાલયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે “લાંબી ઓટિ સુખ સાગર પોલ” વિસ્તાર ખારવાડા અને મહાલક્ષ્મીની પોળની આસપાસનો અથવા તો તેની અંતર્ગત આવેલો હશે અને આ પૈકીનો જ કેટલાક વિસ્તાર ચોકસીની પોળના નામથી પ્રચલિત થયો હશે.
લાંબી ઓટિ સુગસાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીજી
ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ અડસઠિ જિનવર કહીસિજી ૯
શીલવિજયજી રચિત તીર્થમાલામાં (સં. ૧૭૨૧ થી સં. ૧૭૩૮માં) સુખસાગર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ આવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org