________________
ખંભાતનાં જિનાલયો
૭૩
જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. તે પૈકી સીમંધર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ થયેલો છે.
આહ પારુઆ તણી વલી પોલિમાં, સાતઈ, દેહરાં કહી જઈ !
આહે બત્રીસાં સો બંબશું, સીમંધર લટીઈ || ૩૦ || સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ખારુઆ વાડામાં સીમંધર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
પારૂઆવાડઈ વીર જિન ચઉમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રીમુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદહ બિંબજી ૬ મુહુર પાસનઈ દેહરઈ પ્રતિમા એકસુ નઈ ઓગણ્યાસીજી
સીમંધર પ્રાસાદિ ત્રણસઈ ઉપરિ આસ જગીસજી ૭” સં. ૧૮૧૭માં પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટીમાં સીમંધરસ્વામીના કુલ બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીમાં શકરપુરના જિનાલયોનો પણ સમાવેશ થયેલો છે. એટલે કે આજે વિદ્યમાન શકરપુરનું સીમંધરસ્વામીનું જિનાલય તથા ખારવાડાનું સીમંધર સ્વામીનું જિનાલય-એ બંને જિનાલયો સં. ૧૮૧૭માં પણ વિદ્યમાન હતા.
સં. ૧૯૦૦માં “ખારવાવાડા'માં બાર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી શ્રી સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક-રમાં થયેલો છે.
પ્રથમ વારવાવાડામાં દેહરા ૧૨ તેહની વિગત ૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથનું દેરું તે મધઇ ૨. શ્રી સીમંધર સ્વામીનું દેહરું
૧૨.શ્રી મુનીસુવ્રતસ્વામીનું દેરું
સં. ૧૯૪૭ માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ સ્થંભન પાર્શ્વનાથના જિનાલય પછી સીમંધરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક-૨માં કરવામાં આવ્યો છે.
ખારવાડામાં ૧. શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું ૨. મંધર સ્વામીનું દેહરું
૧૨.શ્રી મુનીસુવ્રતસ્વામી
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં શ્રી સીમંધરસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની પંચોતેર પ્રતિમાજીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org