________________
ખંભાતનાં જિનાલયો
પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સ્થંભણ પાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની ચુંમોતેર પ્રતિમાજીઓ તથા નીલમની એક પ્રતિમાજી બિરાજમાન હતી. તેમાં સ્થંભણ પાર્શ્વનાથના જિનાલય અંગે નીચે મુજબની નોંધ મળે છે :
ખંભાત નગરના અધિષ્ઠાતા શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું સ્થાનક. અગાઉ તો દહેરું સાંકડું હતું. પાસે બીજા દેહરાનાં ખંડિયેરો હતાં. પણ ગયા વરસમાં (સં. ૧૯૮૪ના ફાગણ સુદ ૩) તીર્થોદ્ધારક સૂરીશ્વર શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના વરદ હસ્તે, નવીન બંધાયેલા મનોહર પ્રાસાદમાં પ્રાચીન અને અતિશય મહિમાવાળી શ્રી સ્થંભણ પાર્શ્વનાથની નીલમ પ્રતિમા ગાદીનશીન થઈ, તે વેળા એક તરફ મોર પાર્શ્વનાથ અને બીજી બાજુ આદીશ્વરજીના બિંબોની પણ સ્થાપના કરવામાં આવી. વળી એ શુભ પ્રસંગે નવીન ભરાવેલાં કેટલાંક બિંબોની અંજનશલાકા પણ થઈ હતી. ત્યારથી ખંભાતના ગૌરવમાં પુનઃ તેજ પ્રસર્યું છે. આજે તે યાત્રિકો માટે તીર્થધામ બન્યું છે. સં. ૧૯૮૪માં આ જિનાલયનો વહીવટ શા૰ છગનલાલ પાનાચંદ હસ્તક હતો.
૬૯
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના જિનાલયને શિખરબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની ચૌદ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને વહીવટ શ્રી માણેકલાલ છગનલાલ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ શ્રી ભદ્રિકલાલ જીવાભાઈ કાપડિયા, શ્રી શાંતિલાલ માણેકલાલ કાપડિયા તથા શ્રી સુરેન્દ્રભાઈ જીવાભાઈ કાપડિયા હસ્તક છે, જેઓ હાલ ખારવાડામાં રહે છે.
ત્રણ પ્રવેશદ્વા૨વાળા આ જિનાલયના પગથિયાની આજુબાજુ હાથીની અંબાડી પર શેઠશેઠાણીના શિલ્પ કંડારેલાં છે. પ્રવેશદ્વારની કમાનો કોતરણીવાળી છે. પ્રવેશદ્વારના થાંભલા પર નીચે દ્વારપાલનાં શિલ્પો છે. ત્રણેય પ્રવેશદ્વાર પર શ્રી સરસ્વતી દેવીના શિલ્પ છે. (જુઓ ફોટોગ્રાફ નં ૧ અને ૨ તથા ટાઇટલ નં. ૧) ત્યારબાદ નવ પગથિયાં ચડી જિનાલયના મુખ્ય રંગમંડપમાં પ્રવેશવાના પ્રવેશદ્વાર પાસે જઈ શકાય છે. અહીં કુલ પાંચ ચોકી છે. છત પર પટનું સુંદર ચિત્રકામ થયેલું છે. અહીંની ચોકીઓના થાંભલાની કમાનો ૫૨ નર્તન કરતી નર્તકીઓનાં શિલ્પો, વીણા વગાડતી પૂતળીઓનાં શિલ્પો તથા પરીઓની સુંદર શિલ્પાકૃતિઓથી મન નાચી ઊઠે છે. પાળીઓ ઉપર બંને બાજુના ખૂણે સિંહની આકૃતિવાળાં સુંદર શિલ્પો છે.
જિનાલયની બહારના ભાગની છત પર ચંપાપુરી, આબુ, સ્તંભન પાર્શ્વનાથ, તારંગાજી, પાવાપુરી વગેરેનું કલાત્મક ચિત્રકામ છે.
રંગમંડપમાં પ્રવેશવા માટે કુલ ત્રણ પ્રવેશદ્વાર તથા મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુ એકએક બારી છે. રંગમંડપમાં પ્રવેશ્યા બાદ મૂળનાયકની ડાબી તથા જમણી બાજુ પણ પ્રવેશદ્વાર છે. ડાબી બાજુના પ્રવેશદ્વારની પાસેની બારીની નીચે એક ગોખ છે. તેમાં શ્રી ચક્રેશ્વરી દેવીની આરસની મૂર્તિ બિરાજમાન છે. (જુઓ ટાઇટલ નં ૨)
સં. ૧૯૦૦માં ખારવાડામાં બાર જિનાલયો વિદ્યમાન હતાં. શ્રી ઋષભદેવનું દેરું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org