________________
ખંભાતનાં જિનાલયો
સં ૧૩૮૯માં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા ‘‘વિવિધ તીર્થકલ્પ” અન્તર્ગત ‘‘શ્રી પાર્શ્વનાથ કલ્પ” અને ‘‘શ્રી સ્તમ્ભનક કલ્પ શિલોચ્છ''માં આ તીર્થના માહાત્મ્યનું રોચક અને રોમાંચક વર્ણન જોવા મળે છે.
સં૰૧૪૦૫માં રચાયેલા શ્રી રાજશેખર સૂરિષ્કૃત ‘ચતુર્વિંશતિ પ્રબન્ધ' અન્તર્ગત ‘નાગાર્જુન પ્રબન્ધ’માં પણ આ તીર્થનો ઇતિહાસ ગ્રંથાયેલો છે.
૬૭
સં. ૧૪૪૧માં ખંભાતના તમાલી સ્થાનમાં આવેલા સ્તંભન પાર્શ્વનાથના ચૈત્યમાં આ જ્ઞાનસાગરનો સૂરિપદ મહોત્સવ થયો હતો.
પંદરમા સૈકામાં રચાયેલ શ્રી જિનતિલકસૂરિષ્કૃત ‘‘ખંભાત ચૈત્ય પરિપાટી', શ્રી કીર્તિમેરુકૃત ‘શાશ્વત તીર્થમાલા', અને મેઘકવિ કૃત ‘તીર્થમાલા'માં આ તીર્થનો ઉલ્લેખ મળે છે. સં. ૧૫૦૩માં રચાયેલ શ્રી સોમધર્મગણિકૃત ‘ઉપદેશસપ્તતિકા’ ગ્રંથમાં આ તીર્થની ઉત્પત્તિનો અધિકાર આલેખવામાં આવ્યો છે.
સં૰ ૧૫૨૧માં રચાયેલા શ્રી શુભશીલગણિકૃત ‘પ્રબંધ પંચશતિ ગ્રંથમાના ‘નાગાર્જુન પ્રબંધ’ અને ‘અભયદેવ સૂરિકૃત વાંગવૃત્તિ પ્રબંધ'માં આ તીર્થના ઇતિહાસ પર સારો પ્રકાશ પડે છે.
શ્રી રત્નમંદિરગણિકૃત ‘ઉપદેશ તરંગિણી’માં આ તીર્થનો નામનિર્દેશ થયેલો છે.
અનેક પટ્ટાવલી ગ્રંથોમાં શ્રી અભયદેવસૂરિના ચરિત્રમાં આ તીર્થના ઇતિહાસને પણ ગૂંથવામાં આવ્યો છે.
સોળમા સૈકામાં કવિ શ્રી ડુંગર શ્રાવકે રચેલી ‘ખંભાયત ચૈત્યપરિપાટી’માં પ્રારંભમાં જ આ પ્રભુજીને જુહા૨વામાં આવ્યા છે.
સં ૧૫૮૨માં સહજ સુંદરે રચેલ ‘રત્નસાર કુમા૨ ચોપાઈ'માં શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રણામ કર્યા છે.
સત્તરમા સૈકામાં શ્રી નયસુંદ૨, મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજય ગણિવરના શિષ્ય, શ્રી ગુણ વિજયજીના શિષ્ય, શ્રી રત્ન કુશલ, શ્રી ઋષભદાસ કવિ, શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય, શ્રી કમલશેખર આદિ અનેક મહાપુરુષોએ પોતાની રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કરેલો છે.
‘હીર સૌભાગ્ય’ મહાકાવ્યમાં પણ આ તીર્થનાં માહાત્મ્યનું કવિએ અદ્ભુત વર્ણન કર્યું છે. સં. ૧૬૫૧માં વાચક કુશલલાભે ‘સ્તંભનક પાર્શ્વનાથ સ્તવન'માં આ તીર્થના વિસ્તૃત ઇતિહાસનું મનોહર આલેખન કર્યું છે.
શ્રી દેવસૂરિ, શ્રી સોમસુન્દર સૂરિ, શ્રી મુનિચન્દ્ર સૂરિ આદિ અનેક મહાન આચાર્ય ભગવંતોએ પ્રભાવક સ્તોત્રો દ્વારા આ તીર્થની સ્તુતિ કરેલી છે.
અઢારમા સૈકામાં થયેલા શ્રી મેઘવિજય, ઉપાધ્યાય શ્રી શીલવિજય, શ્રી સૌભાગ્ય વિજય, શ્રી જ્ઞાનવિમલ આદિની રચનાઓમાં પણ આ તીર્થના ઉલ્લેખ મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org