SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો વિનંતિ કરી. સૂરીશ્વરજી સંઘની વિનંતિનો સ્વીકાર કરી પોતાના વિદ્વાન શિષ્ય પ્રશિષ્ય સૂરિપુંગવો સહિત ખંભાત બંદરમાં પધાર્યા. શ્રીસંઘે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો, અને શ્રીસંઘનાં માનભર્યા આમંત્રણ સ્વીકારી દેશદેશના ભાવિક સગૃહસ્થો પ્રતિષ્ઠામહોત્સવમાં આવ્યાં. ત્યાર બાદ પ્રભુજીને બિરાજમાન કરવાની બોલી બોલાવા લાગી અને શ્રી સુરત નિવાસી સ્વર્ગસ્થ શેઠ બાલાભાઈ ભગવાનદાસ ઝવેરીનાં ધર્મપત્ની ધનકોર બહેનને દશ હજારની બોલીએ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુને મૂળનાયક તરીકે બિરાજમાન કરવાનો આદેશ આપ્યો અને નવીન જિનાલયમાં ભાવભીના મહોત્સવપૂર્વક વિસં. ૧૯૮૪માં ફાગણ સુદી ૩ના માંગલિક દિવસે પ. પૂ. તપાગચ્છાધિરાજ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત હસ્તે પ્રાચીન શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના નીલમના બિંબની મૂળનાયકજી તરીકે પ્રતિષ્ઠા કરાવી અને તેમની જમણી અને ડાબી બાજુએ મોર પાર્શ્વનાથ અને આદિનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વળી એ માંગલિક પ્રસંગે સૂરીશ્વરજીએ કેટલાક નવીન પ્રભુના બિંબની અંજનશલાકા કરી હતી. ખંભાતનનો જૈન સમાજ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવી કૃતાર્થ બન્યો હતો, શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્રોએ તથા એ મંદિરના વહીવટ કર્તા શા છગનલાલ પાનાચંદ અને તેમના સુપુત્રોએ તેમજ નેમિ જૈન પ્રભાકર મંડળ અને મહાવીર જૈન સભાના દરેક સભ્યોએ આ પ્રસંગે સુંદર સેવા બજાવી હતી. આમ ખંભાતમાં શ્રી સંઘે આ શ્રી નેમિસૂરીશ્વરજીના પુનિત હસ્તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની બે વખત પ્રતિષ્ઠા કરાવી હતી. આજે પણ ખંભાતના ખારવાડામાં આ ભવ્ય તારકતીર્થ વિદ્યમાન છે. અહીં દેવવિમાન સદશ શિખરબંધ જિનપ્રાસાદ શોભી રહ્યો છે. ભવ્યાત્માઓ સવારે પ્રતિક્રમણ કરતી વખતે તીર્થનંદના સૂત્રમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથને નિત્ય નમસ્કાર કરે છે. શ્રી જિનપ્રભસૂરિએ આ પાર્શ્વપ્રભુને “ભવભયહર' પાર્શ્વનાથના નામથી ઓળખાવ્યા છે. પ્રાચીનતાના પુરાવા : અનેક પ્રાચીન ગ્રંથો આ તીર્થના ઉદ્ભવ અને ઇતિહાસને વર્ણવે છે. સં. ૧૩૨૧માં રચાયેલા શ્રી ભાવદેવસૂરિ કૃત “શ્રી પાર્શ્વનાથ ચરિત્ર”ની પ્રશસ્તિમાં આ પાર્શ્વનાથનો નામનિર્દેશ મળે છે. સં. ૧૩૪૪માં રચાયેલા શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવક ચરિત્ર'ના “શ્રી અભયદેવ સૂરિ પ્રબન્ધમાં આ તીર્થનો ઉજ્જવળ ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. સં. ૧૩૬૧માં રચાયેલા શ્રી મેરૂતુંગાચાર્ય કૃત “પ્રબંધ ચિંતામણિના નાગાર્જુન પ્રબંધ” માંથી આ તીર્થનો વિસ્તૃત ઇતિહાસ પ્રાપ્ત થાય છે. શ્રી સિદ્ધસેનસૂરિ રચિત “તીર્થનંદના સૂત્રમાં આ પાર્થપ્રભુને પ્રણામ કરવામાં આવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy