________________
ખંભાતનાં જિનાલયો
મુનિ શ્રી જગવલ્લભ વિજયજી મ. સા. સંપાદિત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન ગ્રંથમાં પૃ. ૫૧, પર તથા ૫૩ પર શ્રી સ્થંભન પાર્શ્વનાથ વિશે નીચે મુજબની સવિસ્તર નોંધ આવે છે, જે અક્ષરશઃ અહીં રજૂ કરવી જરૂરી લાગે છે :
શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રથમ નજરે પ્રતિમા દર્શન :
કુષ્ણ વર્ણના આ કામણગારા પ્રતિમાજી એટલે અનંત માહાભ્યનું ધામ જોઈ લ્યો ! ૮ ઈંચ ઊંચા નાનકડા આ પ્રભુજી એટલે સૌમ્ય રસનો ઘુઘવાટ કરતો મહાસાગર જોઈ લ્યો ! પાંચફણાથી પરિવરેલા આ પરમદેવ એટલે પ્રશમરસ અને પ્રસન્ન રસની પરિમલ પ્રસરાવતાં પુષ્પોનો મઘમઘતો બગીચો જોઈ લ્યો ! પદ્માસને પ્રતિષ્ઠિત આ અરિહંત એટલે અખંડ સૃષ્ટિનું મહામૂલું આભૂષણ જોઈ લ્યો ! ૬ ઇંચ પહોળા આ સોહામણા અને શિવંકરસ્વામી એટલે વિષાદઘેરી વ્યક્તિઓને માટે વિશ્રાન્તિ સ્થાન જોઈ લ્યો ! સપ્તફણા પરિકરનો પમરાટ એટલે ભક્તના સાતેય પ્રકારના ભયોનો ભાંગનારો તરવરાટ જ માની લ્યો ને ! .
અતીતના ઊંડાણમાં એક ડૂબકી :
શ્રી સ્તંભન પાર્શ્વનાથનો જેવો પ્રબળ પ્રભાવ છે તેવો જ તેનો ઉજ્જવલ ઇતિહાસ છે. ગત ચોવીસીના શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં અષાઢી નામના પ્રભુભક્ત શ્રાવકે ભક્તિની અનહદ ઊર્મિઓ ઠાલવીને અનાગત ચોવીસીના ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ સ્વામીની નીલમરત્નની એક મનોહર મૂર્તિ ભરાવી. અષાઢીના અદૂભુત ભક્તિના ભાવોથી મઢેલી આ પ્રતિમા પ્રતાપી બની. વર્ષો સુધી અષાઢી શ્રાવકે આ પ્રતિમાને ભક્તિસભર હૈયે પૂજી.
પરમ પ્રભાવને પામેલી આ મૂર્તિ સૉધર્મપતિના આકર્ષણનું કેન્દ્ર બની. પ્રતિમાને પોતાના આવાસમાં પધરાવીને સોંધર્મેન્દ્ર હજારો વર્ષો સુધી તેની પૂજા કરી. ત્યાર પછી વરુણ દેવે આ પ્રતિમાને ચિરકાળ પર્વત પૂજી. કાળાન્તરે આ પ્રતિમાજી નાગરાજના હાથમાં આવી. સમુદ્રકિનારે એક દેવવિમાન સંદશ મનોહર જિનાલયમાં આ પ્રતિમાજીને પધરાવીને નાગકુમારેન્દ્ર પાતાલવાસી દેવોની સાથે આ પરમાત્માની નિત્ય અર્ચના કરવા લાગ્યો.
કાળપુરુષની ગતિ અવિરતપણે ચાલુ રહી. વર્તમાન ચોવીસીના વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં વનવાસસ્થિત રામચંદ્રજી સીતાનું હરણ થતાં ચિંતિત બન્યા. રાવણ પાસેથી સીતાને પાછી મેળવવા રામ-લક્ષ્મણ વિશાલ સેના સહિત સમુદ્રકિનારે છાવણી નાંખીને રહ્યા હતા. વિરાટ સમુદ્રને ઓળંગવાની મૂંઝવણથી વ્યથિત એવા આ બંધુ યુગલે અકસ્માત નિકટના નિર્જન પ્રદેશમાં એક ભવ્ય જિનપ્રાસાદ નીરખ્યો. જિનપ્રાસાદમાં પ્રવેશ કરતા અનુપમ રૂપને ધારણ કરનારા શ્રી પાર્શ્વનાથજીના અદ્ભૂત બિંબને નિહાળીને આ બંધુબેલડી હર્ષાન્વિત બની. દેવાચિત આ જિનબિંબના પ્રબળ પ્રભાવને પામવા આ બન્ને બંધુના ભક્તહૃદય ઉલ્લસિત બન્યાં. તેમણે એકાગ્રચિત્તે પરમાત્માનું ધ્યાન ધર્યું. પોતાના સ્વામી પ્રત્યે ભક્તિઘેલા બનેલા આ બે બંધુને નિહાળી પ્રસન્ન ચિત્ત બનેલો નાગરાજ પ્રત્યક્ષ થયો. તેણે આ પ્રભાવકારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org