________________
૫૬
૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથ.
૮. કંસારી પાર્શ્વનાથ.
૯. અનંતનાથ.
૧૦. માહાવીરસ્વામી (ચોમુખજીના આકારનું છે.)
૧૧. મુનિસુવ્રતસ્વામીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં આવેલા કંસારી પાર્શ્વનાથના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીઓમાં કંસારી પાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને તે સમયે ખારવાડામાં આ જિનાલય રાયા રતનચંદની ખડકીમાં દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયનો વહીવટ રાયા રતનચંદવાળા વાડીલાલ છોટાલાલ હસ્તક હતો.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા કંસારી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને વહીવટ શેઠ વાડીલાલ છોટાલાલ હસ્તક હતો.
ખંભાતનાં જિનાલયો
ઉપર્યુક્ત પંક્તિઓ ઐતિહાસિક રાસમાળા ભાગ ૩ના પૃ॰ ૩૧ ઉપર નોંધાયેલી છે. એમાં આપેલી વિગતો અનુસાર સં૰ ૧૬૩૯માં સુધર્મગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિ (વિનયદેવસૂરિ ?) ખંભાત પધાર્યા હતા ત્યારે કંસારીમાં ત્રણ દિવસ રહ્યા હતા અને પાર્શ્વનાથનાં દર્શન કર્યા હતાં.
ગછપત્તિ પાંગર્યા પરિવારઈ બહુ પરવર્યા ગુણભર્યા કંસારઈ આવીયા એ.
Jain Education International
પાસજિણંદ એ અશ્વસેન કુલિ ચંદ એ, વંદ એ ભાવ ધરીનઈ વંદીયા એ.
આજે આ જિનાલયના વહીવટદાર શ્રી કાંતિલાલ મણિલાલ પરીખ છે. તેઓ મુંબઈમાં રહે છે અને જિનાલયની દેખરેખ શ્રી શશીકાંતભાઈ નટવરલાલ શાહ રાખે છે જેઓ બોરપીપળામાં ઝવેરીની ખડકીમાં રહે છે.
આ જિનાલયના પ્રવેશદ્વારના થાંભલા પર નયનરમ્ય પૂતળીઓનાં શિલ્પો છે. રંગમંડપ સાદો છે. જિનાલયમાં ભોમતી છે. જિનાલયનો જીર્ણોદ્વાર હમણાં જ થયેલો છે.
અહીં કદંબગિરિ, ગિરનાર, આબુ, અષ્ટાપદ, શત્રુંજય, સમેતશિખર, શંખેશ્વર, કચ્છ,
For Personal & Private Use Only
www.jainelibrary.org