________________
ખંભાતનાં જિનાલયો
બીજઈ દેહરઈ જઈ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા. થંબ સતાવીસ વૃંદતા રે લો, ભવિય મનિ આનંદ રે સા ॥૮
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં કંસારીપુરમાં ચા૨ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
પુતુપુરા માહિ જિન વંદ એકસુસાત કંસારી રે
ચિંતામણિનઈ દેહ૨ઈ જાણું શ્રી જિનબિંબ ત્રેતાલી રે ૨૬ જિ
ત્રણિ બિંબ આદીશર દેહરઈ ત્રણિ વલી નેમિનાથ રે જુહારીનઈ હું પાવન થાઈસિ શકરપુર પાર્શ્વનાથ રે ૨૭ જિ
ઉપર્યુક્ત પંક્તિઓમાં પુહતુપુરા નામે પ્રચલિત વિસ્તાર એ જ કંસારીપુર હશે એવો સંભવ છે તેમ છતાં આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
સં. ૧૯૦૦માં ખારવાડામાં બાર જિનાલયો વિદ્યમાન હતાં. જે પૈકી ક્રમાંક્ર ૯ માં શ્રી કંસારી પાર્શ્વનાથનું દેરું એ મુજબનો ઉલ્લેખ આવે છે અને ત્યારબાદ અનંતનાથનું દેરું દર્શાવવામાં આવ્યું છે.
પ્રથમ ષારવાવાડમાં દેહરા ૧૨ તેહની વિગત
૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું દેરું.
Jain Education International
૫૫
--
૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહશું.
૧૦. શ્રી અનંતનાથનું દેહરું.
૧૧. શ્રી મહાવીર સ્વામીનું દેરું સમવસરણ ચૌમુખ.
૧૨. શ્રી મુનીસુવ્રત સ્વામીનું દેરું.
એટલે કે સં. ૧૯૦૦ પહેલાં કંસારી ગામમાંથી પાર્શ્વનાથજીના પ્રતિમાજીની ખારવાડામાં પધરામણી કરાવવામાં આવી હશે અને ત્યારથી એ પ્રતિમાજી કંસારી પાર્શ્વનાથના નામથી મૂળનાયક તરીકે પ્રચલિત થયા હશે. આજે ભીંત ઉપર મૂળનાયકની ઉપરના ભાગમાં શ્રી ભીડભંજન (કંસારી) પાર્શ્વનાથ લખેલું જોવા મળે છે જે સાબિત કરે છે કે આ પ્રતિમાજી કંસારી ગામના ભીડભંજન પાર્શ્વનાથ જ છે. કંસારી ગામેથી આણેલા એટલે કંસારી પાર્શ્વનાથ કહેવાય છે.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખારવાડામાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૮ માં થયેલો છે જે નીચે મુજબ છે ;
ખારવાડામાં
For Personal & Private Use Only
www.jainelibrary.org