________________
૫૦
ખંભાતનાં જિનાલયો
સં. ૨૦૧૦માં ઉલ્લેખ થયા પ્રમાણે આ જિનાલય મેડી ઉપર બીજે માળ હતું. સં. ૨૦૧૯માં જીર્ણોદ્ધાર થયા પછી જિનાલયનું ભવન નવેસરથી એ જ જગ્યા ઉપર તૈયાર કરવામાં આવ્યું અને ઉપરથી મેડીમાંથી પ્રતિમાજી નીચે લાવી પધરાવવામાં આવ્યા.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે.
ખારવાડો
આજે ખંભાતમાં ખારવાડા તરીકે પ્રસિદ્ધ વિસ્તાર અગાઉ ખારુઆ વાડઈ-ખારૂઆની પોલ ખારવાવાડો તરીકે ઓળખાતો હતો.
૧૯મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્ય પરિપાટીમાં આજનો ખારવાડો વિસ્તાર ખારૂઆ વાડઈ નામથી પ્રચલિત હતો. તે સમયે ત્યાં સીમંધર સ્વામીનું એક જિનાલય વિદ્યમાન હતું.
ખારૂઆવાડઈ પણમીઈએ તિહાં શ્રી સીમંધર
ત્યારબાદ સં૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ખારવાડા નામનો વિસ્તાર ખારૂઆની પોલના નામથી પ્રસિદ્ધ હતો અને તે સમયે તે વિસ્તારમાં સાત જિનાલયો વિદ્યમાન હતાં. આ સાતેય જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
આહ પારુઆતણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ ! આહે બત્રીસાં સો બંબશું, સીમંધર લહીઈ // ૩૦ આહે મુનિસુવ્રત વીસ બૅબશું, સંભવજિન બૅબ વીસ ! આહ અજિતનાથ દેહરઈ જઈ, નીતરું નામું આ સીસ . ૩૧ આહે શાંતિનાથ દશ બંબશું, મોહોર પાસ વિખ્યાત !
આહે પાંચ વ્યય પ્રેમે નમું, વીર ચોમુષ સાત | ૩૨ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં આ વિસ્તાર ખારૂઆવાઈ નામથી પ્રચલિત થયો હતો અને તે સમયે આ વિસ્તારમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં.
પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદહ બિંબજી ૬ મુહુરપાસનઈ દેહરઈ પ્રતિમા એકસુનઈ ઓગણ્યાસીજી સીમંધર પ્રાસાદિ ત્રણસઈ ઊપરિ આર જગીસજી ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર સંભવ જિન નવ્યાસીજી શાંતિ ભવન ત્રીસ નેમિનાથ પોલિ ત્રણિસઈ પચવીસજી ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org