________________
ખંભાતનાં જિનાલયો
૫૧ એટલે કે સં. ૧૯૭૩માં જે સાત જિનાલયો વિદ્યમાન હતાં તે જ જિનાલયો સં. ૧૭૦૧માં વિદ્યમાન હતાં.
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ખારવાડો વિસ્તાર ખારવાવાડો એ નામથી પ્રચલિત હતો અને તે સમયે બાર જિનાલયો વિદ્યમાન હતાં. આ સૂચિમાં સૌ પ્રથમ ખારવાડાનાં જિનાલયોની નામાવલિ વર્ણવામાં આવેલી છે એટલે કે ખારવાડો તે સમયે ખંભાતનું જૈન શાસનનું મુખ્ય કેન્દ્ર બન્યો હશે.
પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨ તેહની વિગત૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથનું દેરું તે મધઈ ૨. શ્રી સીમંધર સ્વામીનું દેહરું ૩. શ્રી અજીતનાથનું દેરું દક્ષિણ સન્મુખ ૪. શ્રી શાંતિનાથનું દેહરુ ૫. શ્રી ઋષભદેવનું દેહાં, પાસે ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે ૬. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરું ૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહરું ૮. શ્રી ચઉવીસ તીર્થકર મૂલનાયક મુનિસુવ્રતસ્વામી છઈ ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહ ૧૦. શ્રી અનંતનાથનું દેરું ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરુ સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરું.
એટલે કે સં૧૭૦૧માં વિદ્યમાન સાત જિનાલયો પૈકી છ જિનાલયો સં. ૧૯૦૦માં વિદ્યમાન હતાં. સં. ૧૭૦૧ વિદ્યમાન સંભવનાથજીના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળતો નથી. જ્યારે અન્ય નવાં જિનાલયોનો ઉલ્લેખ સાંપડે છે. (૧) અંભણ પાર્શ્વનાથ (૨) ઋષભદેવ (૩) સહસ્ત્રફણા પાર્શ્વનાથ (૪) ચઉવીસ તીર્થંકર-મૂળનાયક મુનિસુવ્રત સ્વામી (૫) કંસારી પાર્શ્વનાથ (૬) અનંતનાથ.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતમાં વિદ્યમાન જિનાલયોની યાદી આપવામાં આવી છે, જેમાં પ્રારંભે ખારવાડાનાં જિનાલયોની યાદી છે. તે સમયે ખારવાડામાં કુલ અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org