________________
ખંભાતનાં જિનાલયો
માણેકચોકના મેહેલ્લામાં
૭૦. ધરમનાથજીનું
૭૬. આદીનાથજીનું
૭૭. અભીનંદન સ્વામીનું
૭૮. ચંદ્રપ્રભુજીનું
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ લાડવાડામાં થયેલો છે. ‘શિખર વિનાનું’ એ મુજબનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી.
૪૯
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલય લાડવાડામાં જ દર્શાવવામાં આવેલું છે અને તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. તે સમયે પૃ ૩૮ ૫૨ આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે :
“ધોબી ચકલા આગળ થઈ લાડવાડામાં આવેલા અભિનંદજીને જુહારવા. આને મેડીનું દેહરું કહેવાય છે. દસકા પૂર્વે આયંબિલની ઓળીમાં સ્ત્રીવર્ગ માટેનું આ કેન્દ્ર સ્થાન હતું. પણ આજે તે દશા નથી. તેની સામેની ખડકીમાં અગાઉ દેતું હતું. જે ઉપાડી લેવામાં આવ્યું છે”. એ સમયે આ જિનાલયનો વહીવટ શાહ ફૂલચંદ ગગલવાળા હસ્તક હતો. તેઓ જિનાલયની નજીકની પતંગશીની પોળમાં રહેતા હતા.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં અભિનંદન સ્વામીનું જિનાલય લાડવાડામાં દર્શાવવામાં આવ્યું છે. અને ધાબાબંધી જિનાલય તરીકે તેનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલય બીજે માળ હોવાનો ઉલ્લેખ છે. જિનાલયનો વહીવટ શેઠ લાલચંદ હીરાચંદ હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ જયંતીલાલ ચુનીલાલ શાહ હસ્તક છે જેઓ બાજુની પતંગશીની પોળમાં રહે છે.
જિનાલયનો જીર્ણોદ્વાર સં ૨૦૧૯માં થયેલો છે.
જિનાલયમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વારની બારશાખ ઉપર લક્ષ્મી દેવી તથા સરસ્વતી દેવીનાં શિલ્પો છે. મુખ્ય રંગમંડપમાં પ્રવેશવાનાં બે દ્વાર છે. થાંભલાઓ પર સુંદર શિલ્પાકૃતિઓ છે. રંગમંડપ સાદો છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે બંને બાજુ ગોખ છે. આ ગોખમાં આરસના યક્ષ-યક્ષિણી બિરાજમાન છે. રંગમંડપમાં ગીરનારજી, શત્રુંજય, અષ્ટાપદજી અને સમેતશિખરનો પટ છે.
મૂળનાયકના જમણા ગભારે આદેશ્વર તથા ડાબા ગભારે સુવિધિનાથ ભગવાન બિરાજમાન છે. મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી પરના લેખ પર સં ૧૬૫૬ સ્પષ્ટ વંચાય છે. હાલ જિનાલયમાં પાષાણની અગિયાર પ્રતિમાજીઓ છે.
ખંભા ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org