________________
૪૨
ખંભાતનાં જિનાલયો
ઉપર્યુક્ત ત્રણ જિનાલયો પૈકી સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે તે સમય દરમ્યાન ચોકસીની પોળનો વિસ્તાર અને મહાલક્ષ્મીની પોળનો વિસ્તાર ક્યાંક ક્યાંક એકબીજામાં ભળી ગયેલો છે. આજે આ સુખસાગર પાર્શ્વનાથનું દેહરું ખારવાડા વિસ્તારમાં આવેલું છે. જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૮૪માં “ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખંડેર તરીકે થયેલો છે. તે સમયે મહાવીરસ્વામીના જિનાલયની નજીકમાં જગવલ્લભ પાર્શ્વનાથના પ્રાચીન દેહરાની જગ્યા છે- તેવી નોંધ પૃ. ૩૭ ઉપર કરવામાં આવેલી છે. આજે આ જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા જીરાળાપાડામાં આવેલા ઓગણીસ જિનાલયમાં ત્રીજો માળે આવેલી દેવકુલિકામાં મૂળનાયક તરીકે બિરાજમાન છે તેવી માહિતી સ્થાનિક રહીશે આપી છે. વળી, જીરાળાપાડાના જગવલ્લભ પાર્શ્વનાથનો મૂર્તિલેખ સં૧૬૬૧નો છે અને સં ૧૬૭૩ની ત્રંબાવતી તીર્થમાલામાં તેનો ઉલ્લેખ પણ છે.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળમાં કુલ તેર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી મહાવીર સ્વામી- ગૌતમસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક બાવનમાં થયેલો છે જે નીચે મુજબ છે :
ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથજીનું.
૫૨. ગૌતમ સ્વામીનું (આ દેહેરામાં મૂળનાયકની પ્રતિમા મહાવીર સ્વામીની છે પણ તેમાં ગૌતમસ્વામીની પ્રતિમા છે તેથી દેહેરુ ગૌતમસ્વામીનું કહેવાય છે.)
૬૩. શાંતીનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી અને જિનાલયમાં પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે અને તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓનો નિર્દેશ થયેલો છે. ઉપરાંત ગૌતમસ્વામીની પ્રતિમાજીનો પણ ઉલ્લેખ થયેલો છે. તેનો ઉલ્લેખ સં૧૯૦૦માં પણ થયેલો હતો. ઉપરાંત આ જિનાલયના સંદર્ભમાં પૃ. ૩૭ ઉપર નીચે મુજબની નોંધ જોવા મળે છે :
કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શંત્રુજયનો પટ અહીં જ રહે છે. તેમ જ નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થતી હોવાથી આ સ્થાનનું મહત્ત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીરસ્વામીનું અને ચોકસીની પોળમાંની “વાવ’(વિસ્તારનું નામ)માંથી મનમોહનપાર્શ્વનાથ તેમ જ શીતલનાથના દેહરા ઉપાડી એ ત્રણેનો અહીં સમાવેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org