SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો કરવામાં આવ્યો છે.” તે સમયે આ જિનાલયનો વહીવટ વિમલનાથના દેહરાં નજીક રહેતાં ચોકસી દીપચંદ ડાહ્યાભાઈને હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળમાં આવેલા મહાવીર સ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની તેર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ શ્રી નેમચંદ પાનાચંદ હસ્તક હતો. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. હાલ આ જિનાલયનો વહીવટ ચંપકલાલ મૂલચંદ શાહ (પટવા) હસ્તક છે. ત્રણ પ્રવેશદ્વાર અને ત્રણ ગર્ભદ્વારયુક્ત આ જિનાલયનો જીર્ણોદ્વાર સં. ૧૯૩૬માં થયો હતો. જિનાલયનો રંગમંડપ લાંબો છે. રંગમંડપમાં મુખ્ય બે ઘુમ્મટ છે. જેના પર સુંદર કાચકામ થયેલું છે. એક ઘુમ્મટમાં ત્રિશલામાતાને આવેલાં ચૌદ સ્વપ્નો તથા બીજા ઘુમ્મટમાં અષ્ટાપદ, મેરુપર્વત, જિનાલયમાં દર્શન કરવા જતાં શ્રાવકો વગેરેનું સુંદર અને કલાત્મક કાચકામ છે. અહીં રંગમંડપમાં સમેતિશખરનો પટ આવેલો છે. ૪૩ ગભારામાં રાતા પરિકરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા નીચે શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયક મહાવીર સ્વામીની પ્રતિમા ૫૨ તથા ગૌતમસ્વામીની પ્રતિમા પર કોઈ લેખ નથી. ગભારામાં પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં લાકડાના પાટલા પર અષ્ટમંગલ તથા ચૌદ સ્વપ્ન વગેરેની સુંદર કોતરણી ઘણી પ્રાચીન લાગે છે. અહીં સામ-સામેના ગોખમાં મહાવીર તથા આદેશ્વરની પ્રતિમાજી બિરાજમાન છે. મહાવીરસ્વામીની પ્રતિમા પર વીર સં ૨૫૦૦નો લેખ છે. જ્યારે આદેશ્વરની પ્રતિમા ૫૨ સં. ૨૦૩૫નો લેખ છે. અહીં ડાબા ગભારે શ્રી શીતલનાથ તથા જમણા ગભારે શ્રી મનમોહન પાર્શ્વનાથ બિરાજમાન છે. સં ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં ગૌતમસ્વામીનો ઉલ્લેખ નાગરવાડા વિસ્તારમાં થયેલો છે. આ નાગરવાડાનો વિસ્તાર આજે ખારવાડો તથા ચોકસીની પોળની નજીક છે. સંભવ છે કે મહાવીર સ્વામીના જિનાલયમાં બિરાજમાન ગૌતમસ્વામીનો જ તે સમયે નાગરવાડા વિસ્તારમાં ઉલ્લેખ થયેલો હોય. જો કે તે અંગે વધુ સંશોધન ક૨વાની જરૂર છે તથા વધુ આધારભૂત પુરાવાઓ મેળવવાની જરૂર છે. નાગરવાડામાં ગૌતમસ્વામીનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સહસદુ પોલિં આદીશર પાંસઠિ જિન શ્રીકાર રે નાગરવાડઈ ગૌતમસ્વામી વાંદી નગર મઝારિ રે ૨૫ જિ ટૂંકમાં આજે ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં શ્રી મહાલક્ષ્મીમાતાના મંદિરની બાજુમાં આવેલું શ્રી મહાવીર સ્વામી- ગૌતમ સ્વામીનું જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy