SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો વિમલનાથજીના જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. પૃ૰ ૩૬ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ થયેલી છે : ૪૦ “પ્રથમ વિમલનાથનું દેરાસર જુહારી ચોકસીની પોળમાં આગળ વધવું. આ દે શિખરબંધ છે. પહેલાં તેમાં ચોમુખજી હતા પાણીછેલ્લો પાયો પૂરી પુનઃ નવીન દેવાલય તૈયાર કરાવ્યું. તે વેળાએ તેમાં ફેરફાર થયો અને અત્યારની વ્યવસ્થા નિર્માઈ. પૂર્ણ રીતે કામ થયું નથી. ઘણી પ્રતિમાજીઓ સંપ્રતિ રાજાના સમયની છે. કેટલીક બહારગામ અપાઈ પણ છે. તે સમયે જિનાલયનો વહીવટ શા સકરચંદ ભૂરાભાઈ ચોકસી હસ્તક હતો.” સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળમાં આવેલા વિમલનાથજીના જિનાલયને સામરણયુક્ત દર્શાવવામાં આવ્યું છે અને તે સમયે વહીવટ સકરચંદ ભૂરાભાઈ ચોકસી હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ તે જ કુટુંબપરંપરાના શ્રી દેવેન્દ્રભાઈ નટવરલાલ ચોકસી હસ્તક છે. મૂળનાયક શ્રી વિમલનાથજીની પ્રતિમા પર સંવત અલાઈ ૪૨ સં ૧૬૫૬ માધવિદ ૯...... શ્રેષ્ઠી ધનાના ઉલ્લેખવાળો મૂર્તિલેખ છે. મૂળનાયકની ડાબી બાજુ ચંદ્રપ્રભસ્વામી તથા જમણી બાજુ પાર્શ્વનાથજી બિરાજમાન છે. આ બંને પ્રતિમાજી પર પણ સં૰ ૧૬૫૬ અલાઈ સં ૪૨નો મૂર્તિલેખ છે. ટ્રસ્ટી શ્રી પાસેથી મળેલી માહિતી અનુસાર ચૌમુખમાંના એક પ્રતિમાજી વત્રાના જિનાલયમાં મૂળનાયક તરીકે પધરાવવામાં આવ્યા છે. આજે ગભારામાં મૂળનાયક શ્રી વિમલનાથજીની પ્રતિમા પર સં. ૧૬૫૬નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત અન્ય બે પ્રતિમાજીઓ પાર્શ્વનાથ અને ચંદ્રપ્રભુજી પર પણ સં૰ ૧૬૫૬નો ઉલ્લેખ છે એટલે કે સંભવતઃ કહી શકાય કે ચૌમુખજીના ત્રણ પ્રતિમાજીઓ આજે પણ આ જિનાલયમાં વિદ્યમાન છે. પ્રવેશદ્વારમાં કમાનોવાળો ઝાંપો છે. બહારના ભાગના થાંભલાઓ પર સુંદર રંગકામ કરેલ છે તથા પૂતળીઓના શિલ્પો પણ છે. બહારથી જિનાલય ખૂબ જ સુંદર દેખાય છે. ટ્રસ્ટીશ્રીના જણાવ્યા અનુસાર આશરે ૭૫ વર્ષ પહેલાં તેનો જિણોદ્ધાર થયેલ છે. રંગમંડપમાં ભીંત ઉપર ચિત્રિત કરેલા વિવિધ પટ છે. જેમકે શત્રુંજય, આબુ, તળાજા, પાવાપુરી, નંદીશ્વર દ્વીપ, સમેતશિખર, ગીરનાર, શંખેશ્વર, અષ્ટાપદ, કદમ્બગીરી, ૧૭૦ તીર્થંકર તથા ભગવાનના પંચકલ્યાણના પ્રસંગો. અહીં રંગમંડપમાં રંગકામ થયેલ છે. ગભારામાં પાષણની દસ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની પાછળની દીવાલ પર કાચકામ થયેલું છે. અહીં જમણે ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી તથા ડાબે ગભારે શ્રી શાંતિનાથ બિરાજમાન છે. મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૫૨ સં. ૧૯૬૨નો મૂર્તિલેખ છે. સં. ૧૬૭૩માં આ જિનાલયનો ઉલ્લેખ ચૌમુખજી તરીકે થયેલો છે. સં. ૧૯૦૦માં પણ ચોમુખજી વિમલનાથનો ઉલ્લેખ છે. જ્યારે સં ૧૯૪૭માં વિમલનાથનું જિનાલય અને ચોમુખજીનું જિનાલય-એમ બે અલગ જિનાલયોનો ઉલ્લેખ થયો છે. ત્યાર બાદ સં. ૧૯૬૩માં આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy