________________
ખંભાતનાં જિનાલયો
૩૯
ચોકસીની પોળ
વિમલનાથ (સં. ૧૬૫૬ આસપાસ) ચોકસીની પોળ વિસ્તારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની જમણી બાજુની ગલીમાં સીધા જઈ ડાબી બાજુ વળતાં જમણા હાથે શ્રી વિમલનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં વિમલનાથના ચોમુખજીનું જિનાલય હોવાનો ઉલ્લેખ થયેલો છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
આહ ચોકસી કેરીઅ પોલિમાં, મન ભુવન સુ ચ્યાર /
....
આહે ચોમુખ વ્યમલ જોહારીઇ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ . ૨૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ચોકસીની પોળનો વિસ્તાર લાંબી ઓટિ સુગ(ખ)સાગરિ પોલ નામથી પ્રચલિત હતો પરંતુ તે સમયે વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલોં નથી.
- સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં છ જિનાલયો વિદ્યમાન હતા જે પૈકી ક્રમાંક ૧૬માં ‘શ્રી વિમલનાથનો ચોમુખનો ઉલ્લેખ છે.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળમાં દર્શાવવામાં આવેલાં ૧૩ જિનાલયો પૈકી વિમલનાથજીનું જિનાલય તથા ચૌમુખજીનું જિનાલય- એમ બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૬૧ તથા ક્રમાંક ૬૨માં નીચે મુજબ થયેલ છે :
ચોકસીની પોળમાં પ૧. જગવલ્લભ પારસનાથજીનું.
૬૦. મોહોર પારસનાથજીનું. ૬૧. ચોમુખજીનું. ૬૨. વીમળનાથજીનું. ૬૩. શાંતીનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં ચોકસીની પોળમાં આવેલા વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની છવ્વીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં આવેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org