SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૩૫ એક શ્રાવકની પણ મૂર્તિ છે. મુનિ મહારાજ ચૈત્યવંદનમાં બેઠા હોય તેવા સ્વરૂપની આ મૂર્તિ છે. ઉપરાંત એમાં કમરથી પગ સુધી એક પાટો બાંધ્યો હોય તેવું જણાય છે. આ પ્રકારના સ્વરૂપની મૂર્તિરચના જવલ્લે જ જોવા મળે છે. એટલે કે આ મૂર્તિ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની એક આગવી વિશેષતા છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩ અને ને, ૪) ટૂંકમાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૮૭૨માં તથા સં. ૧૯૮૪માં થયો હતો. આ જિનાલય સં૧૬૬૧ના સમયનું છે. ચોકસીની પોળ મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૭૩ પહેલાં અથવા સં. ૧૯૪૭ પહેલાં) ચોકસીની પોળ વિસ્તારમાં શ્રેયાંસનાથના જિનાલયની બાજુની ગલીમાં ખૂણામાં શ્રી મનમોહનપાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની જમણી બાજુ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત સંબાવતી તીર્થમાલામાં ચોકસીની પોળમાં મોહોર પાર્શ્વનાથ સ્વામીના એ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આહ ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ આર. આહે મોહોર પાસ સ્વામી ન એ, બિબ સત્તાવીસ યાંહિ ! જિનાલયમાં સંવત ૧૬૫૬ના વર્ષનો ઉલ્લેખ કરતો લેખ છે જે નીચે પ્રમાણે છે : મુશ્કેલ બનતું હતું તેથી એક ગરમ ઊનનો પાટો ચૈત્યવંદન મુદ્રામાં બેસીને કમરના ભાગથી ઊભા રાખેલા પગમાં પરોવી દે અને ત્યાર પછી તેઓ બેસી શકે. ધીમે-ધીમે એ ગરમ ઊનનો પાટો તેમના જીવનનું અનિવાર્ય અંગ બની ગયું. અત્યંત જ્ઞાની એવા આ મુનિ ભગવતંને પાટા વિશે મોહ ઉપજો. પાટાની જાળવણીસાચવણીમાં જ તેમનું મન રત રહ્યું. ૫૦૦ શિષ્યોના એ ગુરુ હતાં. એમના કેટલાક જ્ઞાની શિષ્યોએ ગુરુના આ મોહને પારખ્યો અને તેને દૂર કરવા માટે પાટો સંતાડી દીધો પણ પાટાના આ મોહમાં તેઓ કાળધર્મ પામ્યા. અનાર્ય દેશમાં જન્મ્યા. ગુરુના મૃત્યુ બાદ જે કેટલાક સાધુઓ સિદ્ધિમાં આગળ વધ્યા તેઓએ ગુરુ અત્યારે ક્યાં હશે તે જોયું અને તેઓએ ગુરુને ધર્મ પમાડવાનો નિશ્ચય કર્યો. અનાર્ય દેશમાં ગોચરીનો જોગ ન મળે તેને કારણે જેઓ ત્રણથી છ મહિનાના ઉપવાસ કરી શકે તેવા સમગ્ર સાધુઓ અનાર્ય દેશમાં જાય છે. ગુરુ તે વખતે રાજાને ત્યાં આઠ વર્ષના રાજકુમાર હતા. શિષ્યો ત્યાં રહે છે અને પૂર્વભવના આ ગુરુને ઓઘોસ્થાપનાજી વગેરે જાત જાતની વસ્તુઓ રોજ રોજ બતાવ્યા કરે છે અને એક દિવસ તેઓ સફળ થાય છે. ગુરુને અવધિજ્ઞાન થાય છે. હવે આ શિષ્યો ગુરુને અનાર્ય દેશમાંથી પોતાને ત્યાં લાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy