________________
ખંભાતનાં જિનાલયો
૩૩
સં૧૬૬૧ વર્ષે વૈશાખ સુદ સાતમ સોમવાર અને વિજયસેનસૂરિના હાથે થયેલી પ્રતિષ્ઠા મુજબના અર્થવાળું લખાણ વંચાય છે.
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો ઉલ્લેખ લાંબી ઓટિ સુગ(ખ)સાગર પોલિ નામના વિસ્તારમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
લાંબી ઓટિ સુગ સાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીસજી |
ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ અડસઠિ જિનવર કહીસિજી // ૯ સં. ૧૯૦૦માં ચોકસીની પોળનાં છ જિનાલયોના ઉલ્લેખ પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૪માં નીચે મુજબ થયેલો છે :
અથ ચોકસીની પોળનાં દેહરાં ૬ તેહની વિગત ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર. ૧૪. શ્રી ચંતામણિ પાર્શ્વનાથનું દેહશું.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૭માં નીચે મુજબ થયેલો છે :
ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથજીનું. પ૬. મનમોહન પારસનાથજીનું. ૫૭. ચીંતામણિ પારસનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. જિનાલયમાં તે સમયે પાષાણની કુલ પંદર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે જિનાલયના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હોવાનો તથા પથ્થરના બાંધકામનો પણ ઉલ્લેખ આવે છે. જિનાલયનો વહીવટ તે સમયે માણેકલાલ મગનલાલ ગાંધી હસ્તક હતો.
સં. ૧૯૮૪માં આ જિનાલય ઘુમ્મટબંધી બન્યું હશે કારણ કે ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની કુલ અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. મૂળનાયક પર સં. ૧૬૬૧ના મૂર્તિલેખનો ઉલ્લેખ થયો હતો. તે સમયે જિનાલયનો વહીવટ માણેકલાલ મગનલાલ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ એ જ કુટુંબ-પરંપરાના શ્રી રમણલાલ માણેકલાલ ગાંધી હસ્તક છે.
ખંભા ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org