________________
૩૨
ખંભાતનાં જિનાલયો
જિનાલયો વિદ્યમાન હતાં. સં૧૯૪૭માં ચોકસીની પોળમાં ચંદ્રપ્રભુ સ્વામીનાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે, જે પૈકી ચંદ્રપ્રભુ સ્વામીનું એક જિનાલય સુવિધિનાથ અને શ્રેયાંસનાથના દેહરાં સાથે જોડાયેલું છે. એટલે કે આ ત્રણેય જિનાલયો ભેગાં છે તેવો ઉલ્લેખ થયેલો છે. સંભવ છે કે સં. ૧૯૪૭માં ઉપર્યુક્ત ત્રણ જિનાલયો ચોકસીની પોળમાં વિદ્યમાન છે. તે સં. ૧૯૦૦માં મણિયારવાડા વિસ્તારમાં વિદ્યમાન જિનાલયો જ હોય. જ્યારે સં૧૯૬૩માં ચંદ્રપ્રભુનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. શક્ય છે કે સં ૧૯૪૭માં સુવિધિનાથ, શ્રેયાંસનાથ, ચંદ્રપ્રભુસ્વામી એમ ત્રણેયનાં નામથી પ્રચલિત જિનાલય સં૧૯૬૩માં એક જ મૂળનાયકના નામે ચંદ્રપ્રભુના જિનાલય તરીકે પ્રચલિત હોય અને ત્યારબાદ સં. ૧૯૮૪માં તે જ જિનાલય શ્રેયાંસનાથના નામથી પ્રચલિત થયું હોય
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સંગ્રહમાં ચોકસીની પોળના શ્રેયાંસનાથના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે આ જિનાલયમાં પાષાણની સત્તર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. આ જિનાલયનો વહીવટ તે સમયે જીવાભાઈ મગનલાલ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ નીલેશભાઈ હિંમતલાલ ચોકસી તથા શ્રી યોગેશભાઈ હિંમતલાલ ચોકસી હસ્તક છે.
પ્રસ્તુત જિનાલય બહારથી તથા અંદરથી સાદું છે. રંગમંડપ મધ્યમ કદનો છે. જિનાલય બાંધવામાં આરસ તથા પથ્થરનો ઉપયોગ થયેલો છે. અહીં એક બાજુ કેસર ઘસવાની નાની રૂમ છે. જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા આ૦ શ્રી ભુવનભાનુસૂરિના હસ્તક થઈ હતી.
ગભારામાં પાષાણની ઓગણીસ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. - ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૦ પહેલાના સમયનું છે.
ચોકસીની પોળ
ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૬૧) ચોકસીની પોળમાં શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયની જમણી બાજુ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ આર
આહે શ્રી યંતામણ્ય દેહરઈ, સોલ બંબ સુ સાર | ૨૬ મુળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં અલાઈ સંવત ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org