________________
ખંભાતનાં જિનાલયો
૩૧
, 40 વધીનાથ
અથ મણિયારવાડામાં દેહરાં ૩૮૧. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું દક્ષણ સન્મષ ૮૨. શ્રી સુવધીનાથ ૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેરું. દક્ષણ સન્મુખ
સં. ૧૯૦૦માં દર્શાવેલા મણિયારવાડાનો વિસ્તાર ચોકસીની પોળના વિસ્તારની અંતર્ગત હોવાનો સંભવ છે. વળી, ત્યારે મણિયારવાડામાં શ્રેયાંસનાથના જિનાલય ઉપરાંત ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય તથા સુવિધિનાથનું જિનાલય એમ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પણ છે. સં૧૯૪૭માં જયતિહુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં ઉપર્યુક્ત ત્રણ જિનાલયો ભેગાં હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રેયાંસનાથનું જિનાલય ચોકસીની પોળમાં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે :
ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથનું.
પ૩. શ્રેયાંસનાથનું. ૫૪. સુવીનાથનું. ૫૫. ચંદ્રપ્રભુજીનું (નંબર ૫૩-૫૪-૫૫ વાળાં દેહરાં ભેગાં છે.) પ૬. મનમોહન પારસનાથનું. ૫૭. ચીંતામણ પારસનાથનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળ વિસ્તારમાં ચંદ્રપ્રભ સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તેમાં ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. અહીં આરસની કુલ એકવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
ત્યારબાદ ફરી એક વાર સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોકસીની પોળમાં પરબડી નજીક શ્રેયાંસનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેનો વહીવટ ચોકસીની પોળમાં રહેતા શા જીવાભાઈ મગનલાલ કરતા હતા. જિનાલયમાં તે સમયે પાષાણની સત્તર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં ચંદ્રપ્રભુસ્વામીનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે જ સમયે મણિયારવાડામાં ચંદ્રપ્રભુ-સુવિધિનાથ-શ્રેયાંસનાથ-એમ કુલ ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org