________________
ખંભાતનાં જિનાલયો
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ શેઠ પોચાભાઈ છગનલાલ હસ્તક જ હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. આજે આ જિનાલયનો વહીવટ કેસરીચંદ મોતીલાલ ચોકસી તથા રમણલાલ કેશવલાલ કાપડિયા હસ્તક છે.
30
આ જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટે એક દ્વાર છે. ઊંચો ઓટલો ચઢી રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપ નાનો છે અને તેમાં ચિત્રકામ થયેલું છે. વળી, તેના થાંભલાઓ ઉપર સુંદર શિલ્પાકૃતિઓ છે. જિનાલય પથ્થરનું બનેલું છે. ફરસ આરસની છે અને ભીંતોમાં લાદી જડેલી છે.
ગભારો તદ્દન નાનો છે. ગભારામાં મૂળનાયકની પાછળની દીવાલે ચંડકૌશિક નાગ અને મહાવીરસ્વામીના, શ્રીપાલરાજા તથા મયણાસુંદરીના તથા પ્રભુનાં પગમાં ખીર રંધાય છે તે પ્રસંગોના સુંદર ચિત્રકામ છે. ગભારામાં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. પરંપરાગત માન્યતા પ્રમાણે મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયની છે. જો કે પ્રતિમા પર કોઈ લેખ નથી.
ટૂંકમાં આ જિનાલય સં ૧૭૦૧ પહેલાના સમયનું છે.
ચોકસીની પોળ
શ્રેયાંસનાથ (સં. ૧૯૦૦ પહેલાં)
ચોકસીની પોળમાં શ્રી શાંતિનાથના જિનાલયની અડોઅડ જ શ્રી શ્રેયાંસનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
મૂળનાયક શ્રી શ્રેયાંસનાથની પ્રતિમા પર લેખ છે. તેમાં કેટલાક શબ્દો ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ વાંચી શકાતા નથી. .મહા વદ બીજ.........વિજયસેનસૂરિ પટ્ટાલંકાર વિજયતિલકસૂરિ....'—એ મુજબનું લખાણ છે. સંવત અંગેનું લખાણ વંચાતું નથી.
વિજયતિલકસૂરિને ખંભાતમાં સં. ૧૬૭૩માં ગચ્છનાયક પદ આપવામાં આવ્યું હતું. એ પરથી અનુમાન કરી શકાય કે પ્રસ્તુત મૂર્તિલેખનો સંવત ૧૬૭૫ની આસપાસનો હોવાનો સંભવ છે.
સં ૧૬૭૩માં, સં. ૧૭૦૧માં, સં ૧૮૧૭માં કે સં ૧૯૦૦માં ચોકસીની પોળ વિસ્તારમાં શ્રેયાંસનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી પરંતુ સં ૧૯૦૦માં મણિયારવાડા વિસ્તારમાં શ્રેયાંસનાથનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે, જે નીચે મુજબ છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org