________________
૩૮૩
ખંભાતનાં જિનાલયો
૨. તેમણે રોહિણી સ્તવનની રચના કરી. ૧૯૨૫ - શ્રી ઉમેદચંદ મેતારાજ મુનિનું ચોઢાળિયું અને નીષઢકુમારની ઢાળો રચી. ૧૯૪૨ - શ્રી આત્મારામજી મહારાજે પ્રાચીન તાડપત્રો પરનાં પુસ્તકો વાંચ્યાં અને
અજ્ઞાનતિમિરભાસ્કર ગ્રંથની રચના ખંભાતમાં પૂર્ણ કરી. ૧૯૫૬ - જીરાળાપાડાના મોટા જિનાલયનો પાયો નંખાયો. (મહા સુદ ૫) ૧૯૫૯ - શેઠ દીપચંદ ફુલચંદે પાલીતાણાનો સંઘ કાઢ્યો. ૧૯૬૩ - જીરાળાપાડાના મોટા જિનાલયની પ્રતિષ્ઠા (જેઠ સુદ ૬) થઈ. ૧૯૭૪ - ૧. શેઠ પોપટભાઈ અમરચંદ સ્વર્ગવાસી થયા.
૨. શેઠ કસ્તુરભાઈ અમરચંદે તથા શેઠ મનસુખભાઈ ડાહ્યાભાઈએ મળીને કાવીનો
સંઘ કાઢ્યો. ૧૯૭૬ - જીરાળાપાડામાં ખંભાતમાં કાળધર્મ પામનાર ઉ. વીરવિજયની મૂર્તિ પધરાવવામાં
આવી. ૧૯૭૮ - ગુણવિજયજીએ હેમધાતુમાલાગ્રંથ પૂર્ણ કર્યો. ૧૯૮૪ - ૧. શ્રી સ્થંભન પાર્શ્વનાથના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ ફાઇ સુદ ૩.
૨. ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી ગ્રંથ લખાયો. ૧૯૮૫ - શેઠ તારાચંદ સકળચંદે પાલીતાણાનો સંઘ કાઢ્યો. ૧૯૮૬ - બજારના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં જુદા જુદા આચાર્યોની મૂર્તિ
પધરાવવામાં આવી. ૧૯૯૧ - શ્રી રત્નમણિરાવ જોટે એ ખંભાતનો ઇતિહાસ ગ્રંથ લખ્યો. ૧૯૯૩ - શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ માંડવીની પોળના શ્રી આદિનાથ જિનાલયની પ્રતિષ્ઠા
કરાવી. શ્રીમદ્ વિજયનેમિસૂરિ અત્રે ગઢની રચના માટે ખાસ પધાર્યા હતા. ૧૯૯૪ - શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ ભોંયરાપાડાના શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારનો
ઉદ્ધાર કર્યો તથા મહાલક્ષ્મી માતાની પોળમાં આવેલ શ્રી મહાવીર સ્વામીના દહેરે ચોકસી
દીપચંદ ડાહ્યાભાઈની વિનંતિથી શ્રી સમેતશિખરજીના પટની ઉદ્ઘાટન ક્રિયા કરી. ૧૯૯૫ - શ્રીમદ્ વિજયનેમિસૂરિજીના શિષ્ય શ્રી વિજયઅમૃતસૂરિએ આળીપાડામાં શ્રી
શાંતિનાથ તથા ભોંયરાપાડામાં શ્રી ચંદ્રપ્રભુ(સ્ફટિક બિંબ)ની પ્રતિષ્ઠા કરી. ૧૯૯૬ - શ્રી નર્મદાશંકર ભટ્ટ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથ લખ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org