SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૩૮૧ ૨. આ વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. વૈ. સુ. ૨ના રોજ ખંભાતમાં સંઘવણ ફૂલાંબાઈએ શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિને “વિવાદસુત્ત' તથા “અણુત્તરો વવાઈસુત્ત'ની પ્રતિઓ વહોરાવી. ૪. આ. કલ્યાણસાગરસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૭૦૬ – ૧. પ૦ રાજી અને વજીઆના ભાણેજ શ્રી નારિંગદે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૨. શ્રી સેસકરણા શ્રી આદિનાથ બિબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી વિજયરાજસૂરિએ કરાવી. ૩. શ્રી વિજયાનંદસૂરિએ અષાઢ વદિ ૧૩ના રોજ ખંભાતના અકબરપરામાં શ્રી વિજયરાજસૂરિને આચાર્યપદ તથા ભટ્ટારકપદ આપ્યાં હતાં. આ પદવીનો ઉત્સવ પ. વજિઆ-રાજિઆએ કર્યો હતો. ૧૭૦૮ - શ્રી વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૭૧૦ - જિનવર્ધમાને “ધન્નાઋષિ ચોપાઈની ખંભાતમાં રચના કરી. ૧૭૧૧ - ૧. શ્રી વિજયાણંદસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. શ્રી વિજયાણંદસૂરિ નિર્વાણ પામ્યા. ૧૭૧૩ – ૧. સા. ખીમસીએ શ્રી વિજયસિંહસૂરિની પાદુકા કરાવી. ૨. સંઘવી બાઠીઆની સ્ત્રી વિરમદેએ શ્રી જિનરાજની પાદુકા કરાવી. ૩. શ્રી દેવવિજયજીએ ખંભાતમાં ચોમાસું કર્યું. તેમણે ત્યાં વિદેવસૂરિ નિર્વાણ રાસની રચના કરી. ૧૭૧૫ - ૧. શ્રી અમરસાગરસૂરિને આચાર્યપદ મળ્યું. ૨. અંચલગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિએ અમરસાગરજી મ. સા. ને આચાર્યપદથી અલંકૃત કર્યા, ગુરુના ઉપદેશથી વર્ધમાન શાહે સાધર્મિકોના ઉદ્ધારાર્થે ૨ લાખ કોરી ખર્ચો. ૧૭૨૧ - ૧. શા. કહાનજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી વિજયરાજસૂરિએ કરાવી. ૨. શ્રી યશોવિજયે સાધુવંદણા રચી. ૩. ધન્ના અણગાર સ્વાધ્યાયની રચના થઈ. ૧૭૨૨ - ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હીરચંદ્ર ગણિના શિષ્ય રવિચંદ્ર ખંભાતમાં ઉપાસક દશાંગવૃત્તિ લખી. ૧૭૨૭ - શ્રી લક્ષ્મીવિજયે શ્રીપાલમયણાસુંદરી રાસ રચ્યો. ૧૭૨૮ - શ્રી લક્ષ્મીસાગરસૂરિનો જન્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy