________________
૩૭૭
ખંભાતનાં જિનાલયો
૪. કાલાની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૫. ગાંધી કુવંરજીએ પોતાની પત્ની તેજલદે તથા પોતાના પુત્ર કાનજીના નામથી ભ. ધર્મનાથનું પરિકર, ભશાંતિનાથની પ્રતિમા તથા ભ. સંભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી. ખંભાતમાં આ ઉત્સવ ૭૦૦ મુનિવરો મળ્યા હતા. ૬. આ. શ્રી વિજયસેનસૂરિએ વૈ. સુ. ૭ ને બુધવારે ખંભાતમાં ઠક્કર કાકાના ભગવાન નેમિનાથ પંચતીર્થી ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી તથા શ્રી કાનજીભાઈ મોઢ જૈનના ભ, પાર્શ્વનાથની પંચતીર્થના ઘરદેરાસરની અને કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જૈન વગેરે ત્રણ ભાઈઓએ કાવી માટે ભરાવેલ ભગવાન ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરી તથા આ જ ઉત્સવમાં વૈ. સુ. ૭ને બુધવારે
ખંભાતમાં પં. રાજવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા. ૧૬૫૭ (પ૯ ?)- ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાં આ વિજયસેનસૂરિએ જ ૩૩ આંગળ
પ્રમાણે ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. ૧૬૫૮ - ૧. ૫ રાજીઆ વજીઆએ શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિબ કરાવ્યું, પ્રતિષ્ઠા
વિજયસેનસૂરિએ કરાવી.
૨. હરબાઈએ શ્રી વિમલનાથ બિંબ કરાવ્યું. પ્ર. વિનયકીર્તિસૂરિએ કરાવી. ૧૬૫૯ - ૧. સમયસુંદરે ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. સમયસુંદરે “સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ' રચ્યો.
૩. તેજપાલે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. (પાષાણની પ્રતિમા) હાલ માણેકચોકના ભોંયરામાં છે.
૪. પ્રેમવિજયે પોષ વદ ૧ને ગુરુવારે ખંભાતમાં “તીર્થમાલા'ની રચના કરી. ૧૬૬૦ + વીરાએ શ્રી સંભવનાથ બિંબ કરાવ્યું. ૧૬૬૧ - ૧. મોટો દુકાળ પડ્યો. પારેખ રાજીઆ અને વજીઆએ ઘણું દ્રવ્ય ખર્ચીને લોકોને
બચાવ્યા. ૨. સા. વિજયકર્ષે શ્રી કુંથુનાથ બિંબ કરાવ્યું, પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૩. સોની તેજપાલની ભાર્યા તેજલદે ભોંયરાવાળું શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્ર વિજયસેનસૂરિએ કરાવી. ૪. સા. રામના પુત્ર હુઆએ શ્રી ધર્મનાથ બિંબ કરાવ્યું, પ્ર. વિજયસેનસૂરિએ કરાવી. ઉપરની ત્રણેય પ્રતિષ્ઠા વૈસુ૭ને સોમે થઈ. ૫. ખંભાતના સોની તેજપાલે બંધાવેલા મોટા જિનભુવનમાં વિજયદેવસૂરિએ
ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. ૧૬૬૨ – ૧. શ્રી જયરત્નમણિએ “જવરપરાજય” તથા “જ્ઞાનરત્નાવલી’ નામે ગ્રંથ સંસ્કૃતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org