SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ખંભાતનાં જિનાલયો પન્યાસ પદવીઓ આપવામાં આવી. ૧૬૪૭ - આ. શ્રી વિજયસેનસૂરિ એ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૪૯ - ૧. સમ્રાટુ અકબરે શ્રી જિનદત્તસૂરિના કહેવાથી ને કર્મચંદ્ર મંત્રીની વિનંતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષ સુધી જીવહિંસા ન થાય તેવું ફરમાન કાઢ્યું હતું. ૨. ખંભાતના કુંવરજીએ કાવીમાં આદીશ્વરનું મંદિર કરાવ્યું તેની પ્રશ્રી વિજયસેનસૂરિએ કરી. ૧૬૫૦ - ૧. સોની તેજપાલે શત્રુંજયની (સંઘ કાઢી) યાત્રા કરી અને શત્રુંજય ઉપર નંદિવર્ધન નામે પોતે બંધાવેલા દહેરાંની શ્રી હીરવિજયસૂરિના હાથે પ્રહ કરાવી. ૨. સંઘવી ઉદયકરણે ધોળકામાં સંઘ રાખ્યો હતો. ૧. સંઘવી ઉદયકરણે સિદ્ધાચલજી ઉપર શ્રી હીરવિજયસૂરિનાં પગલાંની સ્થાપના કરી વિજયસેનસૂરિએ પ્રઢ કરી ૨. આ. શ્રી વિજયસેનસૂરિ, મહો. કલ્યાણવિજયગણિ વગેરેના હાથે સં. ૧૬પરપ૩ના માગશર વદિ સોમવારે ખંભાતના ભ, ચંદ્રપ્રભુના જિનાલયમાં હીરવિજયસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. ૩. આ. વિજયસેનસૂરિ, મહો. કલ્યાણવિજયગણિ, પ, ધનવિજયગણિ વગેરેએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૫૩ - ૧. શ્રી ધર્મસાગર ઉપાધ્યાય કાળધર્મ પામ્યા. ૨. આ હીરવિજયસૂરિની મૂર્તિ કાઠીયાવાડના મહુવા ગામમાં ખંભાતના પઉમાને તેની સ્ત્રી પાંચીએ કરાવી. ૩. અર્જુને શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવ્યું ને શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૪ - ૧. શ્રી જયચંદ્ર “રસ રત્ન રાસ રચ્યો. ૨. ગંગાઈએ શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૩. વલ્લાઈએ શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૧૬૫૫ - મહો. રત્નસાગરજી મ. સા. ના ઉપદેશથી ખંભાતમાં અને ભરૂચમાં શ્રાવકોએ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૬ - ૧. શ્રી લાભવિજયે “ઋષભ શતક ગ્રંથ' શોધ્યો. ૨. શ્રી વિજયદેવસૂરિને આચાર્યપદ મળ્યું. તેમાં શ્રી મલશાહે રૂા. ૧૮ હજાર ખર્ચ મહોત્સવ કર્યો. ૩. આ વિજયદેવસૂરિએ ખંભાતમાં ચાતુર્માસ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy