________________
૩૭૦
ખંભાતનાં જિનાલયો
૧૪૬૬ થી ૧૪૮૨ - પ્રતિષ્ઠાઓ થઈ તથા પુસ્તકો લખાયાં. ૧૪૬૭ - ૧. જયકીર્તિસૂરિને ખંભાતમાં આચાર્યપદ પ્રાપ્ત થયું.
૨. મેરૂતુંગસૂરિરાસમાં જણાવવામાં આવ્યું છે કે ખંભાતમાં સંઘવી રાજસિંહ કૃત
ઉત્સવમાં જયકીર્તિસૂરિને પદસ્થિત કરવામાં આવ્યા હતા. ૧૪૬૯ - મેરૂતુંગસૂરિરાસમાં જણાવવામાં આવ્યું છે કે માણિક્યસુંદરસૂરિને સાહ તેજા કારિત
ઉત્સવથી ખંભાતમાં આચાર્યપદે સ્થિત કરવામાં આવ્યા હતા. ૧૪૭૧ પહેલાં – મેરૂતુંગસૂરિ ખંભાતમાં બિરાજમાન હતા તે અરસામાં ગુજરાત પર મોગલોનો
ભય ખૂબ જ હતો. એક પ્રસંગે તો આખું ખંભાત શહેર નાગરિકોની નાસાભાગને લીધે સૂનું થઈ ગયું હતું પરંતુ મેરૂતુંગસૂરિ તો નિર્ભિક થઈ ખંભાતમાં જ સ્થિર થઈને
રહ્યા. ૧૪૭૧ - મેરૂતુંગસૂરિ ૬૮ વર્ષની વયે ખંભાતમાં નિર્વાણ પામ્યા. ૧૪૭૨ - ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત નામના શેઠે જૈનોનાં ૧૧ મુખ્ય અંગો-આગમો મોટો
ખર્ચ કરી સોમસુંદરસૂરિ દ્વારા લખાવ્યાં હતાં. ૧૪૭૮ - આ સોમસુંદરસૂરિ શિષ્ય પં. શાંતિચંદ્રગણિએ ખંભાતમાં ભરૂચા પોષાળના
ગ્રંથભંડારમાં દાબડા વગેરે બનાવવાની વ્યવસ્થા કરી હતી. ૧૪૮૪ - ચરિત્રસુંદરગણિએ ખંભાતમાં શીલદૂત નામનું ૧૩૧ શ્લોકમાં સુંદર કાવ્ય રચ્યું કે
જેમાં સ્થૂલિભદ્ર કામવાસનાને જીતી લીધી તેનું વર્ણન મેઘદૂતના દરેક શ્લોકનું ચોથું ચરણ તે કાવ્યના દરેક શ્લોકમાં પણ ચોથા ચરણમાં આવે એ રીતની ઘટનાપૂર્વક
સમસ્યામય કાવ્ય કર્યું છે. ૧૪૮૮ – “ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકા તાડપત્ર પર લખાઈ. ૧૪૮૯ - ૧. આવશ્યક પરની હરિભદ્ર કૃત ટીકા ૨. “સૂર્યપ્રત્રપ્તિ ટીકા” લખાઈ. ૧૪૯૧ - જિનભદ્રસૂરિના કોશ માટે ઉત્તરાધ્યયન ટીકા. ૧૪૯૩ - જિનભદ્રસૂરિના કોશ માટે સર્વસિદ્ધાંત “વિષપદપર્યાય લખાયું. ૧૫૦૧ - ખંભાતની ધર્મલક્ષ્મી સાધ્વીને રત્નસિંહસૂરિએ મહત્તરાપદ આપ્યું. ૧૫૦૩ - ૧. રાજહંસે શ્રી આદિનાથ ચતુર્વિશતિપટ્ટ કરાવ્યો, તેની પ્રતિષ્ઠા તપાશ્રી
જયચંદ્રસૂરિએ કરાવી.
૨. શાંતિસૂરિ, શ્રી જયચંદ્રસૂરિએ બે, શ્રી રત્નસિંહસૂરિએ ચાર પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૪ - શ્રી કક્કસૂરિ, શ્રી જયકેસરીસૂરિ, શ્રી જયચંદ્રસૂરિએ ત્રણ બિબોની પ્રતિષ્ઠા કરાવી ૧૫૦૫ - જયચંદ્રસૂરિએ સુમતિનાથની અને જિનભદ્રસૂરિએ શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org