________________
ખંભાતનાં જિનાલયો
૩૬૯
૨. આ. કુલમંડનસૂરિને ખંભાતની આલિગ વસ્તીમાં સોની સંઘવી ઠ, લખમસી
પલ્લીવાલના ઉત્સવમાં આચાર્યપદવી આપવામાં આવી. ૧૪૪૫ - “ચંદ્રપ્રજ્ઞપ્તિમૂલવૃત્તિ' વૃ, મલયગિરિસૂરિ કૃત તાડપત્ર પર લખાઈ. ૧૪૪૭ - ૧. ખંભાતના શ્રી સંઘે આ જયાનંદસૂરિ તથા આઇ દેવસુંદરસૂરિના ઉપદેશથી
ખંભાતમાં ભટ્ટારક સોમતિલકસૂરિ ગ્રંથ ભંડાર બનાવ્યો. ૨. “ષષ્કર્મગ્રંથટીકા” લખાઈ. ૩. સમ્મતિતર્કટીકા લખાઈ અને ખંભાતના ભટ્ટારક સોમતિલકસૂરિના ગ્રંથભંડારને
અર્પણ થઈ. ૧૪૪૯ - હરપતિ શાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. ૧૪૫૧ - ૧. “કર્મપ્રકૃતિસટીક' ટી મલયગિરિસૂરિ લખાયું.
૨. આ દેવસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતમાં “સુદંસણાચરિય” લખાવીને પાટણના
જૈન જ્ઞાનભંડારને ભેટ આપવામાં આવી. ૧૪૫ર પછીના કોઈપણ સમયે - શ્રી રત્નસૂરિને આચાર્યપદ મળ્યું. ૧૪૫૪ - આ દેવસુંદરસૂરિના ઉપદેશથી ઠ ભૂભડની પત્ની પ્રીમલદેવીએ “સુયગડંગસુત્તટીકા'
લખાવી. ૧૪૫૫ - આ દેવસુંદરસૂરિના ઉપદેશથી મહં. આહલાદેવીએ “પાંચ ઉપાંગ સટીક'
લખાવ્યાં. ૧૪૫૬ - આ જયતિલકસૂરિએ ખંભાતની વડી પોકાળમાં અનુયોગદ્વાર સુત્તચૂર્ણિનો ઉદ્ધાર
કરાવ્યો, કુમારપાલ પડિબોહોની પ્રતિ તાડપત્ર પર લખાવી. ૧૪૫૭ - શ્રી રત્નશેખરસૂરિને ખંભાતના બાબીએ બાલસરસ્વતી'નું બિરુદ આપ્યું. ૧૪૫૮ - કુમારપાલપ્રતિબોધ – હેમકુમાર ચરિત - સોમપ્રભાચાર્ય કૃત તાડપત્ર પર લખાઈ. ૧૪૬૦ - “ઉણાદિસૂત્રવૃત્તિ લખાયું. ૧૪૬૨ - શ્રી જયશેખરે પ્રબોધચિંતામણિ ગ્રંથની ૨000 શ્લોક પરિમાણની ખંભાતમાં રચના
કરી. ઉપદેશાત્મક આ સંસ્કૃત પદ્ય કૃતિ સાત અધિકારમાં વિભક્ત છે. ૧૪૬૨ આસાપસ - શ્રી જયશેખરસૂરિ મ. સા. એ રચેલા ગ્રંથોની પ્રશસ્તિઓ દ્વારા વિશેષમાં
જાણી શકાય છે કે એમને ખંભાતની રાજસભામાં કવિ ચક્રવર્તીનું બિરુદ પ્રાપ્ત થયેલું. જૈનકુમારસંભવની પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પાસે ધ્યાનમાં બેઠા હતા ત્યારે માતા સરસ્વતીની કૃપાથી ૨ શ્લોકોની ફુરણા થઈને "જૈનકુમારસંભવ કાવ્ય રચવાનો સંકેત પ્રાપ્ત થયો તેથી જ પોતાને વાણીદત્તવર કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org