________________
૩૬૮
ખંભાતનાં જિનાલયો પ્રભાવની કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. ૧૩૩૭ - ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્ર દાનનો લાભ લેવા ભારતના ચતુર્થ
વ્રત ધારીઓને એક રેશમ સાડી અને આસપાસ પાંચ પાંચ હીરાગર એમ છ વસ્ત્રો મોકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનોમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી
પેથડને પણ મોકલી હતી. ૧૩૩૦ થી ૧૩૬૯ વચ્ચે - આ સિદ્ધિસૂરિએ બાવન જિનાલયવાળા વીરમંદિરમાં કળશદંડની
પ્રતિષ્ઠા કરી. ૧૩૭૧ - જાજા ગોત્રના છાહડ નામના શેઠે તીર્થ સંઘ કાઢડ્યો હતો તથા ખંભાતમાં
મહાવીરસ્વામીનો જિનપ્રસાદ બંધાવ્યો હતો. ૧૩૭૩ - આ સોમતિલકસૂરિનો સ્વર્ગવાસ (મંત્રી આલિગદેવના ઉપાશ્રયમાં). ૧૩૭૯ - જાજા ગોત્રના મોહણ શેઠે સિંહતિકસૂરિના ઉપદેશથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી
હતી. ૧૩૯૫ - અંચલગચ્છના નવમા શ્રી સિંહતિલકસૂરિ નિર્વાણ પામ્યા. ' ૧૩૯૫(૯૮)- આ. મહેન્દ્રપ્રભસૂરિને ખંભાતમાં ગચ્છનાયકનું પદ પ્રાપ્ત થયું. ૧૪૦૪ - એક પ્રતિષ્ઠા થઈ. ૧૪૧૨ - વિનયપ્રભે ગૌતમસ્વામી રાસ રચ્યો. ૧૪૧૫ - ૧. જિનચંદ્રસૂરિએ સ્વર્ગ ગયા. ૨. જિનોદયસૂરિનો નંદી મહોત્સવ થયો.
૩. જ્ઞાનકલશે જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસની રચના કરી. ૧૪૨૦ - શ્રીમાલીછાંડા કુલના કાએ અચલગચ્છનાયક ગુરુ રાસ રચ્યો. આ રાસમાં
અંચલગચ્છના પ્રવર્તક આર્યરક્ષિતથી માંડીને ૬૦મા પટ્ટધર જયકેસરીસૂરિ સુધીના
ઇતિહાસની મહત્ત્વની સામગ્રી ભરી પડી છે. ૧૪૨૧ થી ૧૪૩૦ - પ્રતિવર્ષમાં એકાદ પ્રતિષ્ઠા થઈ છે. ૧૪૩૧ - “નિશીથસૂત્રમૂલ’ સ્તંભતીર્થના અવકેશવંશના સોનીએ તાડપત્ર પર લખાવ્યું. ૧૪૩૭ - શેઠ માલજી ઓશવાલે દેવસુંદરસૂરિના ઉપદેશથી ધર્મ સંગ્રહણી' ગ્રંથ લખાવ્યો. ૧૪૪૧ - સિંહાક અને ધનરાજે કાકા સિંહની આજ્ઞાથી ખંભાતમાં તમાલીમાં સ્તંભનપાર્શ્વનાથના
ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ. શ્રી જ્ઞાનસૂરિનો
સૂરિપદ મહોત્સવ થયો. ૧૪૪૨ - ૧. શેઠ આભૂના વંશજ સાલ્લા પલ્લીવાલે ભાદરવા સુદિ રને સોમવારે ખંભાતમાં
આ દેવસુંદરસૂરિના ઉપદેશથી તાડપત્ર ઉપર પંચાશક ટીકા લખાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org