________________
૩૬૬
૧૨૯૦ - ૧. ધર્માભ્યુદય મહાકાવ્ય ઉદયપ્રભસૂરિએ રચ્યું.
૧૨૯૧ - ૧. ઉપદેશમાલા વૃત્તિ (હેયોપાદેયા) (પ્રા૰ સં.) સિદ્ધર્ષિ સચિત્ર.
૧૨૯૧
૧૨૯૨
-
૨. આ જિનભદ્રસૂરિએ ખંભાતના સૂબા જયંતસિંહ (વસ્તુપાલનો પુત્ર) માટે
પ્રબંધાવલી રચી.
ખંભાતનાં જિનાલયો
Jain Education International
૨. ડોડ ગામમાં શ્રીમાલી જ્ઞાતિના જિનદેવ અને જિનમતી સાથે અચલકુમા૨ યાત્રાએ નીકળ્યો. ખંભાત આવતાં અચલના માતા-પિતા જવર વ્યાધિથી દૈવયોગે ત્યાં જ મૃત્યુ પામ્યા. ખંભાતના સંઘે નિરાધાર થયેલા ૭ વરસના બાળકને શ્રી ગુણપ્રભસૂરિને સોંપ્યો. સં. ૧૨૯૧માં દીક્ષા આપી અજિતસિંહ મુનિ નામ રાખ્યું.
પછી-વર્ધમાન શેઠે મહિયલ ગામમાં શ્રી આદિદેવનો જિનપ્રસાદ તથા એક વાવ બંધાવ્યાં અને તેમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચ્યા. આ વંશના જગમલ શેઠ એક વખત મથુરા ગયેલ, ત્યાં તેમને સ્વપ્નમાં શ્રી મુહરી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે કહ્યું કે ઠાકરના ઘરમાં જે પાર્શ્વપ્રભુની મૂર્તિ છે તે દામ આપીને લેવી અને મૂર્તિને ખંભાતમાં લાવ્યા. ત્યાં પાચ લાખ રૂપિયા ખર્ચીને જિનપ્રસાદ બંધાવી તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. આ ઘટના અંચલગચ્છેશ અજિતસિંહસૂરિના સામ્રાજ્યમાં બની.
૧૨૯૩ - સિદ્ધહેમશબ્દાનુશાસન સૂત્ર પાઠ તાડપત્ર પર લખાયું.
૧૨૯૪ - ૧. આવશ્યક બૃહવૃત્તિ પ્રથમ ખંડ(પ્રા. સં.) વૃ॰ હરિભદ્રાચાર્ય રચિત લખાયું. ૨. નિશીથચૂર્ણિની પ્રત તાડપત્ર પર લખાઈ.
-
વસ્તુપાલના નગારાના જ્યાદિત્યના મંદિરનો ઉદ્ધારનો લેખ છે. તેમાં રત્નાદેવીની બે પ્રતિમાઓની સ્થાપના કરી.
૧૨૯૫ - સુમતિગણિએ મૂલ જિનદત્તસૂરિ કૃત ગણધર સાર્ધ શતક પર બૃહદ્વૃત્તિ પ્રથમ ખંભાતમાં રચવી શરૂ કરી.
૧૨૯૬ - ૧.પાક્ષિકચૂર્ણિવૃત્તિ (પ્રા. સં) લખાયું. ૨. વસ્તુપાળ મરણ પામ્યો.
૧૨૯૭ - જ્ઞાતાદિષડંગ મૂલ અને જ્ઞાતાદિ (પ્રા૰ સં.) ટી. અભયદેવસૂરિ રચિત લખાયું. ૧૨૯૮ - સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્વૃત્તિષઠાધ્યાય (સં.) લખાયું.
૧૨૯૯ સમરાદિત્ય ચરિત્ર (પ્રા.) ૧૦૦૦ શ્લો હરિભદ્રાચાર્ય લખાયું.
૧૩મો સૈકો - તેજપાલે(વસ્તુપાલ) ખંભાતમાં ભીમેશના મંદિરમાં સુવર્ણ દંડ તથા કળશ કરાવ્યો. છાશ તથા દહીંના વિક્રય સ્થળે તેમાં જીવજંતુ પડતાં બચે તે સારું ઊંચી દીવાલની વાડો બાંધી આપી, બે ઉપાશ્રય તથા ગવાક્ષો સહિત પાણીની પરબ બંધાવ્યા. સ્થંભનમાં (ઉમરેઠ પાસેના થામણામાં) પાર્શ્વનાથનું મંદિર સમરાવ્યું અને તેની પાસે બે પરબ બંધાવી.
For Personal & Private Use Only
www.jainelibrary.org