________________
પરિશિષ્ટ-૨
ખંભાતની જૈન ઘટનાઓની તવારીખ
વિક્રમ સંવત
પ્રસંગ ૧૦૨૪ - શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું અને શ્રી સાગરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૦૫૫ - આઠ વર્ધમાનસૂરિએ શ્રી ધર્મદાસગણિની ઉપદેશમાલાની મોટી ટીકા રચી. ૧૧૧૨ - નાગરના શ્રેયાર્થે તેની સ્ત્રી તિહુણદેવીએ પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને પ્ર
શાલિભદ્રસૂરિએ કરી. ૧૧૪૬ - ૧. આ દેવચંદ્રસૂરિએ મૂલશુદ્ધિની ટીકા રચી.
૨. મુનિ આર્યરક્ષિતે દીક્ષા લીધી હતી. ૧૧૫૦ - શ્રી હેમચંદ્રાચાર્ય ખંભાતમાં દીક્ષા લીધી. ૧૧૬૦ - ૧. સાંતિરુદ્ર શ્રી મહાવીર બિંબ કરાવ્યું તથા નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય
વર્ધમાનચાર્યે વિસ્તૃત અને પાંચ અવસરમાં આદિનાથ ચરિત્ર ખંભાતમાં રચ્યું. ૨. પ્રખ્યાત હેમચંદ્રસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું. તેમાં અપભ્રંશ ભાષા પણ વાપરી છે. તેની તાડપત્રની પ્રત પાટણ
ભંડારમાં છે. ૧૧૬૪ - જીવ સમાસવૃત્તિ (પ્રા. સં.) હર્ષપૂરી અભયદેવસૂરિએ લખાવ્યું. ૧૧૬૬ - શ્રી હેમચંદ્રાચાર્યને સૂરિપદ મળ્યું. ૧૧૬૮ - વર્ધમાન પુત્રી પાપઈએ શ્રી મહાવીર પ્રતિમા કરાવી. ૧૧૭૨ – ૧. સાવદેવની પત્ની આપ્રદેવીએ પ્રતિમા કરાવીને શ્રી કકદાચાર્યે પ્રતિષ્ઠા કરાવી.
૨. આ વર્ધમાનસૂરિએ આદિનાહ ચરિયની રચના કરી. ૧૧૮૪ - જ્ઞાતાસૂત્રમૂલ(પ્રા. સં.) ટી. અભયદેવસૂરિ તાડપત્ર પર લખાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org