SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ખંભાતનાં જિનાલયો આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની મૂર્તિની ડાબી બાજુ પ પૂ આ શ્રી વિજયનંદનસૂરીશ્વરમ ની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે : “પ. પૂ. શાસન સમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. નાપટ્ટધર પ, પૂ આ શ્રી વિજયોદયસૂરિ મ. પટ્ટધર ૫૦ પૂ આ શ્રી વિજયનંદનસૂરીશ્વર મની ગુરુમૂર્તિ, ૫૦ પૂ આ શ્રી. વિજયસૂર્યોદયસૂરિજી મના શિષ્ય પં શ્રી શીલચંદ્રવિજયજી ગણિની પ્રેરણાથી, અમદાવાદ નિવાસી શેઠ શ્રી બાબુલાલ મોહનલાલ પટણી- પરિવારે પધરાવી છે. વિસં. ૨૦૪૩ જેઠ શુદિ ૬ બુધવાર.” આ. શ્રી વિજયનંદનસૂરીશ્વર મ ની મૂર્તિની ડાબી બાજુ ૫૦ પૂ આ શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વર મ ની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે : ૫૦ પૂ. બાલબ્રહ્મચારી આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મના પટ્ટધર પ૦ પૂ આ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વર મ૦ ની ગુરુમૂર્તિ, ૫૦ પૂ આ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.ની પ્રેરણાથી, ખંભાત નિવાસી શેઠ શ્રી મંગળદાસ સ્વરુપચંદના ધર્મપત્ની સ્વ. શ્રી ચંપાબેનના શ્રેયાર્થે તેમના સમગ્ર પરિવારે પધરાવી છે. વિ. સં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર”.. અહીં ભીંત પર બે લેખ કોતરવામાં આવ્યા છે. જૈ પૈકી એક લેખમાં પ, પૂ આ મ. શ્રી વિજયઉદયસૂરીશ્વરના શિષ્ય ૫૦ પૂમુનિરાજ શ્રીચંદ્રસેનવિજયજી મ.ના સદુપદેશથી શાહ નટવરલાલ સોમચંદ પોપટચંદે વિ. સં. ૨૦૩૨માં શ્રી ગુરુમંદિરના નિર્માણાર્થે જમીન ખરીદવા અંગેની વિગત, ધ્વજાના ચડાવાનો લાભ શેઠ શ્રી અમૃતલાલ કસ્તુરચંદ દંતારા પરિવારે લીધા અંગેની વિગતોનો ઉલ્લેખ છે. બીજા લેખમાં પ૦ પૂ આ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વર મ ની નિશ્રામાં અષ્ટાહ્નિકા મહોત્સવ સાથે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. ઉપરાંત આ પાંચેય મ સાનાં જીવન તથા કાર્યો અંગેની વિગતો કાગળમાં લખી કાચની ફ્રેમમાં મઢી દેવામાં આવી છે. શ્રી અમૃતસૂરીશ્વરજી ગુરુમંદિર ખારવાડો ખારવાડા વિસ્તારમાં અનંતનાથના જિનાલયની જમણી બાજુ હાલાર દેશોદ્ધારક શ્રેષ્ઠ કવિશ્વર પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીનું આરસનું ગુરુમંદિર આવેલું છે. ખારવાડામાં આવેલા અનંતનાથના જિનાલયના રંગમંડપમાંથી પણ આ ગુરુમંદિરમાં જઈ શકાય છે. ગુરુમંદિરમાં સામરણયુક્ત આરસની છત્રીમાં શ્રી વિજયઅમૃતસૂરીશ્વર મસા. ની પાષાણની ગુરુમૂર્તિ બિરાજમાન છે. આ ગુરુમૂર્તિ પર સં. ૨૦૫રનો મૂર્તિલેખ છે. આ મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ શ્રીમતી પદમાબેન પન્નાલાલ દંતારાએ લીધો હતો. પ્રતિષ્ઠા શ્રી વિજય જિનેન્દ્રસૂરિ, પૂ. મુ. શ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy