________________
ખંભાતનાં જિનાલયો
યોગીન્દ્રવિજયજી, શ્રી હેમેન્દ્રવિજયજી તથા શ્રી દિવ્યાનંદજીવિજયજી વગેરેની નિશ્રામાં સં ૨૦૫૨ વૈશાખ સુદ પને મંગળવારે તા. ૨૩-૪-૧૯૯૬ના રોજ કરવામાં આવી હતી.
દાદાસાહેબ ગુરુમંદિર દાદાવાડી, ભોંયરાપાડા સામે
આ ગુરુમંદિરમાં પ્રવેશતાં ઘુમ્મટયુક્ત ગોખમાં આ શ્રી જિનચંદ્રસૂરિ, આ શ્રી જિનદત્તસૂરિ, આ શ્રી જિનકુશલસૂરિ તથા આ૰ શ્રી જિનચંદ્રસૂરિ પાષાણની ચાર ગુરુમૂર્તિઓ બિરાજે છે. તે પૈકી આ શ્રી જિનચંદ્રસૂરિની એક મૂર્તિ ૫૨ સં ૨૦૪૧નો લેખ છે. આ ગુરુમૂર્તિઓ પાસે પાષાણના પગલાંની ૧૦ જોડ છે. તે પૈકી સં ૧૭૯૫, સં ૧૭૧૩, સં ૧૯૮૮ના લેખ ધરાવતી પગલાંની જોડ છે. ઉપરાંત અહીં એક ગોખમાં આ શ્રી વિજયવિજ્ઞાનસૂરિની પાષાણ મૂર્તિ છે. અહીં એક ગોખમાં શ્રી વીર ભૈરવનાથની મૂર્તિ છે.
ગુરુમંદિરમાં ભીંત પર જીર્ણોદ્ધાર અંગેનો લેખ છે. જે નીચે મુજબ છે :
૩૩૫
“શ્રી સ્તંભન તીર્થે વંદે વીર કુશલં વિક્રમ સંવત ૧૯૮૮ના જ્યેષ્ઠ શુકલ ષષ્ઠિ દિને બડાદાદા નામથી પ્રસિદ્ધ ચોરાસી ગચ્છયેણગારહાર જંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનદત્તસૂરીશ્વરજીત નરમણિમંડિત ભાલઃ ખંજ ક્ષેત્રપાલસઃ સેવિતઃ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીત તથા બીજા ગોત્રી ગુરુ ભક્ત છોટાલાલભાઈ મગનલાલ પોતાની સલક્ષ્મી ઉદાર દિલથી વ્યય કરી નવી દેરી બંધાવીને શ્રી પાંચે નાતના સંઘ સમક્ષ ઘણા ઉત્સાહ આડંબરથી શ્રી ખરતરગચ્છાધિરાજ શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય બાલબ્રહ્મચારી શ્રી યશસૂરીશ્વરજીના અંતેવાસી પન્યાસજી મહારાજ શ્રી વિધિમુનિજીના ઉપદેશથી સર્વ વિધિયુક્ત પ્રતિષ્ઠા તથા દાદાવાડીનો જીર્ણોદ્ધાર કરી પોતાનો જનમ સફલ કરેલ છે.
લિખિ. ગુલાબમુનિ
Jain Education International
શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રાસાદાતઃ શુભઃ
પાંચ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૧નાં વર્ષે વૈશાખ વદ ૨ને સોમવાર તા ૬-૫૧૯૮૫ના રોજ કરેલ છે.”
For Personal & Private Use Only
www.jainelibrary.org