________________
ખંભાતનાં જિનાલયો
૩૩૩
સ્થાનિક કથા પ્રમાણે કુમારપાળ મહારાજને જ્યાં પ૦ પૂ આ મવિજય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ દ્વારા જ્યાં સંતાડી રાખવામાં આવ્યા હતા તે આ સ્થાન છે.
પરમ પૂજ્ય જિન શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ બાલ બ્રહ્મચારી આ મ૦ શ્રીવિજયનેમિ-ઉદયસૂરીશ્વરજી ગુરુમંદિર
ખારવાડો
ખારવાડા વિસ્તારમાં શ્રી તપગચ્છ અમર જૈનશાળાની સામે આ ગુરુમંદિર આવેલું છે. આ ગુરુમંદિરની પ્રતિષ્ઠા સં. ૨૦૪૩માં જેઠ સુદિને ૬ને બુધવારે થયેલ છે.
અહીં કાચથી મઢેલ ઘુમ્મટયુક્ત ગોખમાં પાંચ આચાર્ય ભગવંતોની ગુરુમૂર્તિઓ બિરાજે છે.
જેમાં મધ્યે શાસન સમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે :
પ. પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આ. મ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિ, પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મની પ્રેરણાથી ખંભાત નિવાસી શેઠ શ્રી સોમચંદ - પોપટચંદના ધર્મપત્ની સ્વ. શ્રી બેનકોરબેનના શ્રેયાર્થે તેમના સમગ્ર પરિવારે પધરાવી છે. વિ. સં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર.'
આ૦ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની મૂર્તિની જમણી બાજુ ૫૦ પૂ આ શ્રી વિજયોદયસૂરીશ્વર મ ની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે જે નીચે મુજબ છે. :
પ. પૂ. શાસન સમ્રાટ આ૦ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. નાપટ્ટધર ૫૦ પૂ. સિદ્ધાંત વાચસ્પતિ ન્યાયવિશારદ આo શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. ની ગુરુમૂર્તિ, પ. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મની પ્રેરણાથી ખંભાત નિવાસી શેઠ શ્રી દલસુખભાઈ મગનલાલ પાદરાવાળાના ધર્મપત્ની સ્વ. રેવાબેનના શ્રેયાર્થે તેમના સમગ્ર પરિવારે પધરાવી વિસં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર”.
આઇ શ્રી વિજયોદયસૂરીશ્વરજીની મૂર્તિની જમણી બાજુ પ. પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિશ્વર મની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની ભીંત પર એક લેખ છે. તે નીચે મુજબ છે :
પ. પૂ. શાસન સમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. નાપટ્ટધર ૫૦ પૂ. શાંતમૂર્તિ આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિ મ. ની ગુરુમૂર્તિ, પ. પૂ આ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. ની પ્રેરણાથી, ખંભાત નિવાસી શેઠ શ્રી સાંકળચંદ ગાંડાભાઈ ધીયા પરિવાર હ. શ્રી હર્ષભાઈએ પધરાવી છે. વિસં. ૨૦૪૩ જેઠ સુદિ ૬ બુધવાર.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org