________________
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ સ્મૃતિ મંદિર
બ્રહ્મપોળ, ખારવાડો ખારવાડા વિસ્તારમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું સ્મૃતિ મંદિર આવેલું છે. અહીં શ્રાવિકાનો ઉપાશ્રય છે. અહીં ભીંતમાં ઘુમ્મટયુક્ત છત્રીમાં પાષાણની કુલ ત્રણ ગુરુમૂર્તિઓ બિરાજે છે. તે પૈકી મળે કમળ પર શ્રી હેમચંદ્રસૂરિની પાષાણ મૂર્તિ, તેની જમણી બાજુ શ્રી હીરવિજયસૂરિની તથા ડાબી બાજુ શ્રી વિજયસેનસૂરિની પાષાણ મૂર્તિઓ બિરાજે છે. ઉપરાંત શ્રી વિજયસેનસૂરિની મૂર્તિ નીચે કુમારપાળ રાજાની અને શ્રી હીરવિજયસૂરિની નીચે સરસ્વતીદેવીની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિઓ પૈકી તે-તે મૂર્તિઓની નીચે ભીંત ઉપર નીચે મુજબ લખાણ છે.
વેજલપુર નિવાસી ગાંધી રતિલાલ પાનાચંદભાઈએ પિતાના શ્રેયાર્થે શ્રી સૌભાગ્યગુણ ચંદ્રશ્રીજીની શિષ્યા સાધ્વી શ્રીકંચનશ્રીજી તથા સાધ્વી શ્રી રવિન્દુપ્રભાશ્રીના ઉપદેશથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની મૂર્તિ પધરાવી છે.
વેજલપુર નિવાસી શેઠ વાડીલાલ નાથાજીના શ્રેયાર્થે તેમના સુપુત્રોએ સાધ્વી શ્રી પ્રવિણાજીના ઉપદેશથી વિજયહીરસૂરિની મૂર્તિ પધરાવી છે.
સ્તંભતીર્થ નિવાસી ભોગીલાલ મગનલાલના સુપુત્ર નગીનદાસ તથા બાબુભાઈએ પોતાના માતૃશ્રી મંગુબા તથા સ્વ શ્રેયસકુમારના શ્રેયાર્થે સાધ્વી શ્રી જીતેન્દ્રશ્રીજીના ઉપદેશથી વિજયસેનસૂરિ મહારાજની મૂર્તિ પધરાવી છે.
આ ત્રણેય મૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૨૦૨૨માં વૈશાખ સુદ ૩ને શનિવારે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
આ ગોખની ડાબી બાજુ કાચના કબાટ જેવા ગોખમાં પૂ આ શ્રીવિજયનેમિસૂરિની મૂર્તિ બિરાજે છે. તે પ્રતિમા નીચે ભીંત પર સં ૨૦૨૨ વૈશાખ સુદ ૩ને શનિવારે છોટાલાલ પોપટચંદના શ્રેયાર્થે તેમનાં ધર્મપત્ની શ્રી મંગુબાએ પોતાના સુપુત્ર શ્રી હિંમતલાલ તથા શ્રી રસિકલાલે સાધ્વી શ્રી કંચનશ્રીજીના ઉપદેશથી પધરાવી હોવાની નોંધ છે. જમણી બાજુ ગોખમાં પાવાપુરી અને સમવસરણ છે. અહીં અન્ય એક ગોખમાં મણીભદ્રવીરની પાષાણની મૂર્તિ છે. તેના પર સં. ૧૯૮૪નો લેખ છે. આ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને દેશના દેતા હોય તેવું અને આ શ્રીજી કુમારપાળરાજાને ભોંયરામાંથી બહાર કાઢે તેવું ચિત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org