SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો સાત ખેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણા હીરતણા શ્રાવક એ હોયે જાણું મુગટ પર ગહિણાં. હી ૧૧ પારેખ રાજિઆ અને વાજિઆનાં પૂર્વજ મૂળ ગંધારપુરમાં રહેતા હતા. શ્રીમાળી જ્ઞાતિના હતા. વેપાર કરવા માટે તેઓ ખંભાતમાં આવ્યા. વેપારમાં તે ઘણું દ્રવ્ય કમાયા. એ સમયે ગોવામાં ફિરંગીઓનું રાજ્ય હતું. તેમના દરબારમાં તેમણે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. ૧૧ પારેખ રાજીઆ વાજીઆએ પાંચ જિનભવનો બંધાવ્યા હતાં. ખંભાતમાં ત્રણ દરવાજા આગળ સં. ૧૬૪૪ના જેઠ સુદ ૨ને દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી. મૂર્તિઓ ઘણી જ વિશાળ છે અને ત્યાંના ભોંયરામાં છે. આખા મંદિરનું વર્ણન કરતો ૬૨ શ્લોકનો મોટો શિલાલેખ તે મંદિરમાં છે. તે લેખ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તે વાંચવાથી તેની ભવ્યતા અને સુંદરતા સમજાશે. બીજું ગંધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું બંધાવ્યું. નેજામાં ઋષભદેવની સ્થાપના કરી અને વડોદરામાં કરેડા પાર્શ્વનાથ અને નેમિનાથ એમ બેની સ્થાપના કરી. વળી સં. ૧૬૬૪માં વાજીઆના પુત્ર મેઘજીએ શ્રી શાંતિનાથનું બિંબ કરાવ્યું હતું અને તેની શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી તથા સં. ૧૬૫૮ના માઘ સુદિ પને સોમવારે બે ભાઈઓએ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું હતું. પારેખ રાજીઆ અને વાજીઆએ સંઘવી થઈને આબુ, રાણપુર અને ગોડી પાર્શ્વનાથની યાત્રા માટે મોટા સંઘો પણ કાઢ્યા હતા. સં. ૧૬૬૧ની સાલમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે તેમણે ચાર હજાર મણ અનાજ વાપરીને ઘણાં કુટુંબોની રક્ષા કરી હતી; એટલું જ નહિ પણ ગામે ગામ પોતાનાં માણસોને મોકલીને ગરીબોને રોકડી રકમ આપીને સહાયતા કરી હતી. એકંદરે તેઓએ ૩૩ લાખ રૂપિયા પુણ્ય કાર્યોમાં ખરચ્યા હતા. ધર્મકાર્યો કરતાં કરતાં ખંભાતના શ્રેષ્ઠીઓ અને શ્રાવકો અનુમોદનાર્થે અનેક પ્રકારની પ્રભાવનાઓ કરતા હતા. આ પૈકીની બે પ્રભાવનાઓ ઉલ્લેખનીય છે : સં ૧૩૧૯માં ખંભાતના ચોકમાં રહેલા કુમારપાળવિહારના ઉપાશ્રયમાં મહાઅમાત્ય વસ્તુપાલ આ શ્રી દેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહ્યો હતો અને તેણે સામાયિક લઈને બેઠેલાઓને મુહપત્તીની પ્રભાવના કરી હતી. આશરે ૧૮૦૦ મુહપત્તીઓની પ્રભાવના થઈ હતી. ૧૮૦૦ની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સામાયિક લઈને બેસે અને આચાર્યશ્રી પાટ પરથી વ્યાખ્યાન કરતાં હોય એ દૃશ્ય કેવું તો મંગલ બન્યું હશે ! સં ૧૩૩૭માં ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્ર દાનનો લાભ લેવા ભારતના ચતુર્થવ્રતધારીઓને રેશમ સાડી અને આસપાસ પાંચ પાંચ હીરગર એમ કુલ છ વસ્ત્રો મોકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનોમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી પેથડને પણ મોકલી હતી. Jain Education International આ સમયગાળામાં જૈન શ્રાવકો તથા જૈન સાધુભગવંતો દ્વારા ખંભાતમાં રાસ, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy