________________
૧૦
ખંભાતનાં જિનાલયો
ચૈત્રી પુનમ દિન કહેવાય, શાહ શ્રી મલ્લ શેત્રુજે જાય,
શાહ શ્રી મલ્લ સંઘવી જ અનંગ, ચાલ જિમ રાણા નિસંગ.
ખંભાતની સુપ્રસિદ્ધ ઓશવાલ જ્ઞાતિના પનોતા પુત્ર તેજપાલ સોની ૧૭મા સૈકામાં (સં. ૧૬૪૯) મોટો ધનાઢ્ય થઈ ગયો. કવિ ઋષભદાસ તેના વિશે હીરવિજયસૂરિરાસમાં લખે છે :
સોની શ્રી તેજપાલ બરાબરી નહિ કો પોષધધારી. સોની તેજપાલ તે સમયના સુપ્રસિદ્ધ આઇ શ્રી હીરવિજયસૂરિ તથા શ્રી વિજયસેનસૂરિનો પરમ ભક્ત હતો. તેમના સદુપદેશથી તેણે જિનમંદિરો બંધાવવામાં તથા સંઘભક્તિ કરવામાં પોતાની લક્ષ્મીનો ઉત્તમ વિનિયોગ કર્યો હતો. તેણે શત્રુંજય ઉપરના મૂળ મંદિરનો પુનરુદ્ધાર કર્યો હતો. આ હીરવિજયસૂરિના સદુપદેશથી ટૂંક સમયમાં આખું મંદિર તદ્દન નવા જેવું તૈયાર કરાવ્યું. સં. ૧૬૪૯માં તેજપાલે જસુ ઠક્કરની સહાયથી ખૂબ જ ભવ્ય અને મનોહર મંદિર તૈયાર કરાવ્યું અને તેનું નામ નંદિવર્ધન પાડ્યું. તેજપાલે આ ચૈત્ય સમરાવવા જે ધન ખરચ્યું તે જાણી લોકો તેને “કલ્પદ્રુમયેયમનનધનવ્યયેન' કહી કલ્પદ્રુમની ઉપમા આપવા લાગ્યા. કવિ ઋષભદાસ શ્રી હીરવિજયસૂરિરાસમાં કહે છેઃ
| ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યો ખરચી એક લખ્ય લ્યાહરી
દેખી સમકિત પુરૂષ જ પામે, અનુમોદે નરનારી. વિ. સં. ૧૬૪૬ની સાલમાં હીરવિજયસૂરિ ખંભાત પધાર્યા ત્યારે તેજપાલે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખરચ્યા હતા. ઉપરાંત, સં. ૧૬૫૯માં વૈશાખ વદી છ8ને ગુરુવારે આદિનાથ ભગવાનનું ભોંયરાવાળું ચૈત્ય બંધાવ્યું હતું. તે વિશે કવિ ઋષભદાસ લખે છે :
ઇન્દ્રભુવન જસ્ય દરૂ કરાવ્યું, ચિત્ર લલિત અભિરામ; ત્રેવીસમો તીર્થકર થાપ્યો, વિજયચિંતામણિ નામ હોટ હી. ૬ રૂષભ તણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય; ભુંઈરામાં જઈને જુહારો, સમકિત નિરમળ હોઠ થી ૭ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં;
ઓશવંશ ઉજવળ જેણે કરીઓ, કરણી તાસ ભમોરા હો હી ૮ આ જિનાલય આજે પણ માણેકચોક વિસ્તારમાં વિદ્યમાન છે.
આબુ અને અચલેશ્વરના સંઘવી થઈને તેણે યાત્રાઓ કરી હતી. તે અંગે કવિ ઋષભદાસ તેની પ્રશસ્તિ કરતાં કહે છે :
આબૂ ગઢનો સંઘવી થાય, લહિણી કરતો જાય આબૂ ગઢ અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય. હી. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org