SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો કે આ નગરની બહાર પોષધશાલા કરી તે તો ફોગટ દ્રવ્ય ખરચ્યું. કેમકે તેમાં તો કદાચ ભીલો આવીને નિવાસ ક૨શે. તે સાંભળીને ભીમે કહ્યું કે કોઈક વિહાર કરીને થાકેલા મુનિ ખરેખર તેમાં કાયોત્સર્ગાદિક ધ્યાન ધરશે અને તેથી તે પોષધશાલા સફળ થશે. છેવટે નગરની વસ્તી વધવાથી તે પોષધશાલા હાલ નગરની અંદર જ આવી ગઈ છે.'' ૧૫મા સૈકાની આખરમાં ખંભાતમાં શાણરાજ નામે એક મહા ધનવાન અને પ્રભાવક શ્રાવક થઈ ગયો. તેણે ગિરનાર ઉપર ઘણું દ્રવ્ય ખર્ચી વિમલનાથપ્રાસાદ નામનું એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ખંભાતનો જૈન શ્રેષ્ઠી સંઘવી ઉદયકરણ શ્રી હીરવિજયસૂરિનો પરમ ભક્ત હતો. તેણે આબુ તથા ચિત્તોડ વગેરેની જાત્રા માટે મોટો સંઘ કાઢ્યો (સં. ૧૬૩૮) હતો. એમાં એણે ૨૦,૦૦૦ હજાર રૂપિયા ખરચ્યા હતા. સં. ૧૬૩૮માં મહા સુદિ ૧૩ને સોમવારે શ્રી હીરવિજયસૂરિના હસ્તે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી ઘણા દ્રવ્યનો ઉપયોગ કર્યો હતો. વળી, સૂરિજીનો સં ૧૬૫૨માં સ્વર્ગવાસ થયો તે પછી બીજે વર્ષે શેત્રુંજય ઉપર તેમનાં પગલાંની સ્થાપના કરી હતી. આ પગલાં હજી પણ ઋષભદેવ ભગવાનના મંદિરની પશ્ચિમે નાના મંદિરમાં વિદ્યમાન છે. તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિની હાથે મહોપાધ્યાય કલ્યાણવિજય અને પંડિત ધનવિજયની વિદ્યમાનતામાં કરાવી હતી. કવિ ઋષભદાસે પોતાની કૃતિ શ્રી હીરવિજયસૂરિરાસમાં સંઘવી ઉદયકરણનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. ૯ આ શ્રી હીરવિજયસૂરિ ખંભાતમાં હતા ત્યારે પાટણનો અભયરાજ સપરિવાર તેમને હસ્તે દીક્ષા લેવા આવેલો ત્યારે વાઘજી શાહ નામના ગૃહસ્થને ત્યાં ઉતારો કર્યો હતો. આ પ્રસંગે ત્રણ મહિના સુધી જે ધાર્મિક કાર્યો થયાં તેમાં લગભગ પાંત્રીસ હજાર મહંમુદિકાનો ખર્ચ થયો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઓસવંશના શા૰ જસરાજે સં. ૧૬૬૮ના અષાડ સુદિ બીજને દિવસે સોમ ચિંતામણિ પાર્શ્વનાથની શ્રી વિજયસેનસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી એ પ્રસંગે લગભગ અર્ધો લાખ રૂપિયાનું ખર્ચ થયો હોવાનું કવિ ઋષભદાસ કહે છે. આજે બાવન જિનાલય તરીકે ઓળખાતા માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં આ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. ખંભાતમાં ઠક્કર કીકો અને શ્રી મલ્લ નામના શ્રેષ્ઠીઓએ શકરપુરમાં જિનાલય બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. હીરવિજયસૂરિરાસમાં તેઓ વિશે નીચે મુજબની પંક્તિઓમાં નોંધ આવે છે : શકરપુરિ શ્રી મલ રે, કીકા વાઘા કરે, દહેરૂં પોષધશાલસ્યું એ. Jain Education International (શ્રી હી રા૰ પૃ ૨૨૩) શ્રી મલ્લ ખંભાતનો ધનાઢ્ય અને ધર્મપ્રેમી શ્રાવક હતો. શ્રી મલ્લે સંઘવી થઈને શેત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. કવિ ઋષભદાસ તે અંગે શ્રી હીરવિજયસૂરિરાસ(પૃ ૨૦૬)માં લખે છે : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy