________________
૨૩૪
ખંભાતનાં જિનાલયો
શ્રીમદ્ દ્વિકમાર્ક સમયાંતિત સવત્રિધિમુનીનેન્દ્ર ૧૯૭૯ વર્ષે માસોતમ માધવમાસ અક્ષય તૃતીયા તીથી સુરૂગુરૂવાસરે રાજનગર (અમદાવાદ) વાસ્તવ્ય પ્રાગ્વાટવંશવિભુષણ શ્રેષ્ઠિરત્ન મનસુખભાઈ ભગુભાઈ તનુજનુષા માણેકલાલ ભાઈલાલ નામના શ્રેષ્ઠિવરેણ સ્વપિતૃ મનસુખભાઈ શ્રેયાર્થે સ્વદ્રવ્ય વ્યયતોડત્ર શ્રી સ્તંભતીર્થનગર શાખાપુર શકરપુર કારિતોડયું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ચૈત્ય જિર્ણોદ્ધાર આનંદાતારા ચન્દ્રાર્ક મિતિ શ્રા:/l"
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં જણાવ્યા મુજબ આ જીર્ણોદ્ધાર વિજયનેમિસૂરિની નિશ્રામાં કરવામાં આવ્યો હતો.
ગભારામાં અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ છે. તથા આરસનાં પગલાંની ૬ જોડ છે જે પૈકી આરસના એક પથ્થર પર પાંચ જોડ છે. તેમાંનાં બે પગલાં પર નામ વંચાતાં નથી એમ બાકીનાં ત્રણ ૩. વિજયદાનસૂરિ. ૪. હીરવિજયસૂરિ. ૫. વિજયસેનસૂરિના નામનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત ગભારામાં ૨૪ તીર્થકરનો આરસનો પટ છે જેના પર સં૧૪૨૨નો લેખ છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પર કોઈ લેખ નથી.
સીમંધરસ્વામી સીમંધરસ્વામીના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વાર ઉપરાંત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાંથી પણ આ જિનાલયમાં જઈ શકાય છે.
રંગમંડપ સાદો અને મધ્યમ કદનો છે. રંગમંડપની છતમાં પઢિયા પર રંગકામ થયેલું છે. અહીં કાષ્ઠના થાંભલાઓ પર પણ રંગકામ થયેલું છે.
ગભારામાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામી અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા બિરાજમાન છે. અહીં પાષાણની કુલ છ પ્રતિમાજી છે જે પૈકી રાતા રંગના આરસમાં બે પ્રતિમાજીઓ ઉપર-નીચે બિરાજે છે. આ રાતા રંગના આરસમાં ઉપરની પ્રતિમા પર “યુગંધરસ્વામી અને નીચેની પ્રતિમા પર ‘બાહુકસ્વામી' – એ મુજબનું લખાણ છે. અહીં આરસનાં પગલાંની કુલ નવ જોડ છે, જે પૈકી એક નાના પગલાંની જોડ છે. અન્ય પાદુકાઓ પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : (૧) શ્રીમાન વિક્રમાર્ક સંવત ૧૯૧૯ના વર્ષે ફાગણ માસે શુક્લપક્ષે દસમ ભૃગુવારે વીરવિજયજી પાદુકા...સુત લક્ષ્મીચંદ તતસુત મોટાભાઈ કરાપિત... (૨) સંવત ૧૭૯૫. શ્રી સૌભાગ્યસૂરિ પાદુકા , (૩) સં૧૭૮૪ વર્ષે માગસર શુદિ ૬ દિને બુધવાસરે શ્રી સ્તંભતિર્થ બંદિરે શ્રી તપાગચ્છે સુવિહિત ભટ્ટારક શ્રી આનંદ વિમલસૂરીશ્વર.... વિજયદાનસૂરિ પટ્ટ ભ. શ્રી હીરવિજયસૂરિ... શ્રી વિજયસેનસૂરિ. પટ્ટે ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ પટ્ટ પ્રભાવક સકલ પુરંદર ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિ પટ્ટે સવિજ્ઞપક્ષે ભટ્ટારક શ્રી જ્ઞાનવિમલસૂરિ સ્મર્ણા પાદુકાઃ શુભમ્ ભવતુ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org